મોરબીની એલ.ઇ. કોલેજમાં વધારાના કોર્ષ શરૂ કરવા મુખ્યમંત્રીને રજુઆત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-07-2021

મોરબીની લખધીરજી એન્જીનારીંગ કોલેજનું જૂની બિલ્ડીંગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે ત્યારે સરકાર દ્વારા ગુજરાતની સૌથી જૂની એન્જીનીયરીગ કોલેજ કે જેનો ખરેખર હેરિટેજમાં સમાવેશ થવો જોઈએ તેની યોગ્ય જાળવણી કરીને ત્યાં જો બીજા વધારાના કોર્ષ ચાલુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને તેનો સીધો જ લાભ મળી શકે તેમ છે જેથી કરીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસો.ના જનરલ સેક્રેટરી દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

સેક્રેટરી કે.ડી.બાવરવા દ્વારા મુખ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે, જીલ્લામાં આવેલ એક માત્ર સરકારી એન્જીનીયરીંગ કોલેજ કે જે ભારત આઝાદ થયા પછીની 10 કોલેજ માંહેની એક કોલેજ છે. અને આ કોલેજ મોરબીના મહારાજના સહયોગથી બનેલ છે અને તેઓ દ્વારા મકાન તેમજ જમીનનું મોટું દાન આપીને વિદ્યાર્થીઓ માટે સુવિધા કરી આપવામાં આવી હતી આ કોલેજમાં અભ્યાસ કરીને ઘણા લોકોએ ખુબજ પ્રગતી કરેલ છે જો કે, હાલમાં કોલેજમાં માત્ર આઠ કોર્ષ જ ચાલે છે. અને તેમાં પણ હજુ વધારો કરવાની ખાસ જરૂરિયાત છે.

તો આ કોલેજમાં ખાસ કરીને મોરબી જેના માટે પ્રખ્યાત છે તે સિરામિક એન્જીનીયરીગનો ડીગ્રી કોર્ષ, તેમજ ટેક્ષટાઈલ એન્જીનીયરીંગ, એન્વાયર્મેન્ટ એન્જીનીયરીંગ, કોમ્પુટર એન્જીનીયરીંગનો કોર્ષ, ઈલેક્ટ્રોનિક કોમ્યુનીકેશનનો કોર્ષ, મરીન એન્જીનીયરીંગનો કોર્ષ, ઓટો મોબાઈલ . એરોનોટીકલ કોર્ષ તેમજ અન્ય જરૂરી કોર્ષ શુરુ કરવાની માગણી કરેલ છે. અત્રે ઉલેખનીય છે કે, ખુબ જ ઓછા ખર્ચમાં અહી બીજા કોર્ષ ચાલુ કરી શકાઈ તેમ છે ત્યારે જો આ કોર્ષ ચાલુ કરવામાં આવશે તો ગરીબ અને માધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થાય તેમ છે આ ઉપરાંત મોરબીમાં એક સ્પોર્ટ્સ એકેડેમીની પણ ખાસ જરૂર છે અને તેના માટે કેમ્પસ પણ ત્યાં થઈ શકે તેમ છે.