એક વખત કોવિડ પોઝિટિવ આવ્યા બાદ બીજી વખત સંક્રમણનું જોખમ ઓછુંઃ સર્વે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-06-2021

 કોરોના સંકટનો સામનો કરી રહેલા વિશ્વને બ્રિટને એક સારા સમાચાર આપ્યા છે. પબ્લિક હેલ્થ ઈન્ગલેન્ડ દ્વારા કોવિડ-19 સંક્રમણ અંગે એક ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો જેને ગુરૂવારે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ ડેટા પ્રમાણે કોરોનાથી એક વખત સંક્રમિત થયા બાદ બીજી વખત સંક્રમિત થવાનું જોખમ ઓછું છે.

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે આ સર્વે એટલા માટે પ્રકાશિત કર્યો છે જેથી કોરોના સંક્રમણના જોખમ પર નજર રાખી શકાય અને ફરી કોરોનાથી સંક્રમિત થઈ રહેલા લોકોની સ્થિતિ જાણી શકાય. વર્તમાન ડેટા પ્રમાણે SARS-CoV-2ના ફરી સંક્રમિત થવાનું જોખમ ઓછું છે.

30 મે 2021 સુધીમાં બ્રિટનમાં 15,893 લોકો ફરી કોરોના સંક્રમિત થયા હતા જ્યારે ઈંગ્લેન્ડમાં 40 લાખ કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા. જો આ આંકડાઓ પર ધ્યાન આપીએ તો ફક્ત 0.4 ટકા કેસમાં એક કોવિડ સંક્રમિત વ્યક્તિ ફરી કોરોના સંક્રમણનો શિકાર બની શકે છે.

ફરી સંક્રમિત થવાનું જોખમ ઓછું પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના કોવિડ-19 સ્ટ્રેટેજિક ડાયરેક્ટર ડૉક્ટર સુસાન હૉપકિન્સે જણાવ્યું કે, કોરોના સંક્રમણનો એક વખત શિકાર બની ચુકેલા લોકો એ જાણવા માંગે છે કે, શું ફરી કોરોના સંક્રમણનું જોખમ છે કે નહીં. આ સંજોગોમાં વર્તમાન ડેટા પ્રમાણે ફરી કોરોના સંક્રમિત થવાનું જોખમ ખૂબ જ ઓછું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો