77 IAS અધિકારીઓની બદલી , કલેક્ટર, મ્યુ. કમિશ્નરોની બદલી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-06-2021

ગુજરાત રાજ્યના 77 ias અધિકારીઓની બદલી કરવામાં આવી છે .અનેક કલેક્ટરો , ddo , કમિશ્નરોની બદલી કરવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગના સેક્રેટરી અંજુ શર્મા ST નિગમના MD એસ.જે હૈદર ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અને કલેક્ટર અમદાવાદ જિલ્લાના DDO અને AMCના ત્રણ DYMCની બદલી કરવામાં આવેલ છે .રાજકોટ જિલ્લા કલેક્ટર ની પણ બદલી કરવામાં આવેલ છે . સાથે રાજકોટ મ્યુ. કમિશનરની બદલી કરવામાં આવેલ છે .રાજકોટના જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની બદલી હેલ્થ કમિશનના ડિરેકટર તરીકે નિમણુંક અપાઈ છે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા જિલ્લા કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે અને રાજકોટ મ્યુ. કમિશનર તરીકે પંચમહાલ-ગોધરાના કલેકટર અમિત અરોરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નિમણુંક કરવામાં આવેલ છે અને રાજકોટ કલેક્ટર તરીકે કોર્પોરેશનના પૂર્વ ડીએમસી અરુણ મહેશ બાબુ ની વરણી કરવામાં આવેલ છે. રાજ્ય સરકારે 10 દિવસ પહેલાજ ias અધિકારીઓની બદલીના આદેશ જાહેર કર્યો હતો .જેમાં અનેક જિલ્લાના કલેક્ટર , મ્યુ. કમિશનર, ddo ની બદલી કરવામાં આવેલ છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો