Breaking News: મોરબી ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા

મોરબી તથા આજુ બાજુના ગામડાઓમાં મોટા પાયે રાજકારણ ગરમાયુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-06-2021

મોરબી ગજાનંદ પાર્ક ના પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે એઓ પોતાના સક્રિય કાર્યકરો સાથે આમઆદમી પાર્ટીમાં જોડાયા છે. આજ દિવસ સુધી જયદેવસિંહ જાડેજાએ એક સેવાભાવિ વ્યક્તિ તરીકે પોતાની ફરજ નિભાવી છે મોરબી તથા આજુબાજુના ગામડાઓના વિસ્તારમાં જયદેવસિંહ જાડેજા ખુબ લોકચાહના ધરાવે છે જેના અનુસંધાને જાડેજા સાથે પોતાની એક આખી વોટ બેન્ક રહેલી છે જાડેજાના આ નિર્યણથી આવનારા સમય માં બીજી પાર્ટીઓને નુકશાન વેઠવું પડે એવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહિ. આજે જયદેવસિંહ જાડેજા દ્વારા આમ આદમી પાર્ટી જોઈન કરતા મોરબી જિલ્લામાં રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો