વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 15 અને 21 જૂને યોજાનારી પરીક્ષાઓ કરી રદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-06-2021

કોરોના ના કહેરને કારણે તમામ વિભાગોની પરીક્ષાઓ મોકૂફ રાખી છે ગુજરાત શિક્ષણ વિભાગના પરિપત્ર બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 15 અને 21 જૂને યોજાનારી પરીક્ષા હાલ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ઓનલાઇન પરીક્ષા કઇ રીતે લેવી તે અંગે યુનિવર્સિટી સિન્ડીકેટ મેમ્બર્સ અને વિવિધ વિભાગના ડીન સાથે બેઠક કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

કોરોનાના કેસો માં ઘટાડો થતા સરકાર હવે કોરોના ખતમ થઈ ગયો છે તેમ માની એક પછી એક છૂટ છાટ જાહેર કરી રહી છે પરંતુ વાસ્તવમાં કોરોનાને મોકળુ મેદાન મળી રહયુ છે. લોકો ફરી બેફિકર બનીને ફરશે તો કોરોના ફરી ફૂંફાડો મારશે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં તો લોકો હવે માસ્ક પહેર્યા વિના ઘુમી રહયા છેજે ખુબજ ઘાતક બનીશકે છે રાજકોટમાં નવા કેસમાં સામાન્ય વધારા સાથે સૌરાષ્ટ્રમાં કુલ ૩૧૮ કેસ અને ર૦ દર્દીઓનાં મોત નીપજયા હતા. રાજયમાં સતાવાર આંકડો કુલ કેસનો ૧૧ર૦ જાહેર કરાયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો