PM મોદી કોરોનાને કારણે અનાથ થયેલા બાળકોને 10 લાખ રૂપિયા તથા અન્ય લાભો આપશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-05-2021

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટમાં માતા-પિતા ગુમાવનારા અનાથ બાળકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે પીએમ કેયર્સ ફંડ દ્વારા કોરોના વાયરસથી પ્રભાવિત થયેલા બાળકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે.

દેશમાં કોરોનાના કારણે અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આવા બાળકોને PM કેર ફંડમાંથી 10 લાખની મદદ કરાશે. તેમનો ભણવાનો ખર્ચ પણ આ ફંડમાંથી અપાશે. 18 વર્ષની ઉંમર સુધી દર મહિને આર્થિક મદદ કરાશે.આ ઉપરાંત બાળકની ઉંમર 23 વર્ષ થશે ત્યારે 10 લાખની સહાય અપાશે.

બાળકને કેન્દ્ર સરકારની કોઈપણ નિવાસી શાળાઓ જેવી કે સૈનિક સ્કૂલ, નવોદય વિદ્યાલય વગેરેમાં પ્રવેશ આપવામાં આવશે. જો વાલી / દાદા દાદી / વિસ્તૃત કુટુંબ બાળકની સંભાળ રાખે છે, તો તેણીને નજીકની સેન્ટ્રલ સ્કૂલ અથવા ખાનગી શાળામાં ડે સ્કોલર તરીકે દાખલ કરવામાં આવશે.

પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં જણાવાયું છે કે, પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રનના સૌજન્યથી કોવિડ અસરગ્રસ્ત બાળકોના સમર્થન અને સશક્તિકરણ માટે પગલા લેવામાં આવ્યા છે, કોવિડને કારણે તેમના માતાપિતાને ગુમાવનારા સરકારની સાથે સરકાર ઊભી છે. આવા બાળકોને 18 વર્ષની ઉંમરે માસિક સ્ટાઈપેન્ડ અને 23 વર્ષની ઉંમરે પીએમ કેયર્સમાંથી 10 લાખ રૂપિયાનું ફંડ મળશે.

પીએમઓએ જણાવ્યું કે આ બાળકોનું મફત શિક્ષણ પણ સુનિશ્ચિત કરવામાં આવશે. બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોન મેળવવા માટે મદદ કરવામાં આવશે અને આ લોન પરનું વ્યાજ પીએમ કેયર્સ ફંડમાંથી ચૂકવવામાં આવશે. આ ઉપરાંત આયુષ્માન ભારત યોજના અંતર્ગત, 18 વર્ષ સુધીના બાળકોને 5 લાખનો મફત આરોગ્ય વીમો મળશે અને પ્રીમિયમ પીએમ કેયર્સ ફંડ દ્વારા ચૂકવવામાં આવશે.

PM નરેન્દ્ર મોદીએ એ જણાવ્યું કે, બાળકો દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને અમે બાળકોના સમર્થન અને સુરક્ષા માટે બધુ જ કરી છૂટવા તૈયાર છીએ. એક સમાજનાં તરીકે આ અમારું કર્તવ્ય છે કે, આપણે બાળકોની સારસંભાળ રાખીએ, અને તેમનામાં ઉજ્જવળ ભવિષ્યની આશા જગાવીએ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો