વેક્સિનેશન સર્ટી સોશિયલ મીડિયા પર શેર કરશો તો પસ્તાશો, સરકારની ચેતવણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-05-2021

દેશભરમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન દરમિયાન સરકાર તરફથી રસીકરણ પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યું છે. આ પ્રમાણપત્ર લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને જગજાહેર કરવામાં આવી રહ્યા છે. જેને લઇને સરકાર દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે.

સરકારે ટ્વિટર પર એક પોસ્ટમાં દેશવાસીઓને કોરોના રસીકરણ પ્રમાણપત્રને ઓનલાઇન શેર ન કરવાની ચેતવણી આપી છે. કારણ કે આ પ્રમાણપત્રમાં જે-તે વ્યક્તિનું નામ, ઉંમર, આગળના ડોઝની તારીખ જેની માહિતીનો ઉલ્લેખ હોય છે. આ પ્રકારની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી જગજાહેર કરવાથી તેનો દુરોપયોગ થઇ શકે છે.

આ અત્યંત મહત્વની ટ્વીટ Cyber Dostના ટ્વિટર એકાઉન્ટ પર શરે કરવામાં આવી છે. જે ગૃહ મંત્રાલય દ્વારા બનાવેલ એક સેફ્ટી અને સાઇબર સિક્યોરિટી જાગરુકતા માટે કાર્યશીલ છે.

ટ્વીટમાં શેર કરેલી ફોટોમાં લખવામાં આવ્યું છે કે, કોરોના રસીકરણ પ્રમાણપત્રમાં વ્યક્તિનું નામ અને અન્ય અંગત માહિતી હોય છે અને સોશિયલ મીડિયા પર તમારા વેક્સિન સર્ટિફિકેટને શેર કરવાથી સાવધાન રહેવુ જોઇએ, કારણ કે સાઇબર ક્રિમિનલ તેનો દુરોપયોગ કરી તમને નુકશાન પહોંચાડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં ભારતમાં કોરોના સંક્રમણ ભારે કહેર વર્તાવી રહ્યો છે. એવામાં સરકાર દ્વારા કોરોના રસીકરણ પર સતત ભાર આપવામાં આવી રહ્યો છે. એવામાં રસીકરણ પ્રમાણપત્ર અત્યંત મહત્વનું દસ્તાવેજ માનવામાં આવી રહ્યું છે કારણ કે આ પ્રમાણપત્ર ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી સહિત અનેક સ્થળો માટે જરુરી બની શકે છે. હાલમાં સરકાર કોરોનાની રસીના પહેલા ડોઝ બાદ પ્રોવિઝનલ સર્ટિ આપી રહી છે. જેમાં અંગત માહિતી સાથે આગામી ડોઝની તારીખ પણ આપવામાં આવે છે. જ્યારે ફાઇનલ સર્ટિફિકેટ બીજો ડોઝ લીધા પછી ઇશ્યુ કરવામાં આવે છે.

રસીના બંને ડોઝ લીધા બાદ મળતું રસીકરણ પ્રમાણપત્ર આરોગ્ય સેતુ એપ કે CoWin પોર્ટલ પરથી ડાઉનલોડ કરી મેળવી શકાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો