Tauktae વાવાઝોડાએ અમદાવાદમાં કેવી તારાજી સર્જી જુઓ તસ્વીર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-05-2021

વાવાઝોડાની (Tauktae Cyclone) અસર અમદાવાદમાં પણ ભયાનક જોવા મળી હતી. વાવાઝોડાની અસરથી શહેરમાં ઠેરઠેર ધોધમાર વરસાદ વરસ્યો હતો. પ્રથમ વરસાદમાં જ અમદાવાદમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાઇ જવાના કારણે મીઠાખળી અને અખબારનગર અંડર પાસ બંધ કરવામાં આવ્યો હતો.

વાવાઝોડાથી અમદાવાદમાં પારાવાર નુકસાન થયું છે. શહેરમાં 189 જેટલા વૃક્ષો પડ્યા છે. 43 જગ્યાએ પાણી ભરાયા છે. મધ્ય ઝોનમાં 4 મકાન ધરાશાયી થયા છે. 18 પોલ, 27 કાચા મકાન અને 377 હોર્ડિંગને નુકસાન થયું છે. વરસાદના કારણે વાસણા બેરેજના 6 ગેટ ખોલવામાં આવ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો