ગુજરાતનાં 25,000 હૅલ્થકર્મી આપશે રાજીનામાં?

ડેમેજ કંટ્રોલ માટે સરકાર પાસે ફકત 6 નો સમય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-05-2021

કોમ્પ્યુટર ઓપરેટર, એકાઉન્ટન્ટ, પ્રોગ્રામ ઓફિસર જેવી નોન ટેકનીકલ તથા આયુષ ડોક્ટર, સીએચઓ, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનીશીયન જેવી ટેકનીકલ મળીને કુલ 48 કેડરમાં નેશનલ હેલ્થ મિશનના કરાર આધારીત કર્મચારીઓ ફરજ બજાવે છે. રાજ્યમાં કુલ રપ હજારથી પણ વધુ કર્મચારીઓ ગામના પેટા આરોગ્ય કેન્દ્રથી લઇને મુખ્ય આરોગ્યની કચેરીમાં નિષ્ઠાપુર્વક કામગીરી કરે છે તેમ છતાં પગારમાં 15 ટકાનો વધારો સરકાર દ્વારા કરવામાં આવતો નથી. અગાઉ જે કર્મચારીઓ હડતાલ ઉપર જાય છે તેમના પગાર સરકારે વધારી દીધા છે ત્યારે આ મંડળ દ્વારા પણ આશ્ચર્યજનક કાર્યક્રમની ચિમકી ઉચ્ચારી છે. આગામી તા.12 મે સુધીમાં સરકાર દ્વારા કરાર આધારિત કર્મચારીઓના પ્રશ્ન બાબતે સુખદ નિરાકરણ લાવવામાં નહીં આવે તો મંડળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને ગુજરાતમાં એનએચએમ કર્મચારી સામુહિક રાજીનામું આપશે તેમ પણ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગમાં નેશનલ હેલ્થ મિશન કાર્યરત છે. જે અંતર્ગત આરોગ્ય કેન્દ્રથી લઇને આરોગ્ય કમિશ્નરની કચેરીમાં ટેકનીકલ તથા નોનટેકનીકલ કર્મચારીઓની કરાર આધારીત ભરતી કરવામાં આવી છે. ઘણા વર્ષોથી આ 48 કેડરના કર્મચારીઓ પગાર વધારા અંગે માંગણી કરે છે પરંતુ તેમની આ માંગણી

ફાઇલોમાં અટવાઇ જાય છે. ત્યારે આગામી તા.12 મે સુધીમાં કર્મચારીઓના પગાર અંગે હકારાત્મક નિર્ણય સરકાર દ્વારા કરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં ફરજ બજાવતાં રપ હજાર જેટલા એનએચએમ કર્મીઓ સામુહિક રાજીનામું આપશે તેવી ચિમકી મંડળ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં કરવામાં આવી છે. આ અંગે નેશનલ હેલ્થ મિશન કરાર આધારીત કર્મચારી મંડળ ગુજરાત દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ, કમિશ્નર તથા નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટરને પડતર માંગણીઓ અંગે સત્વરે નિર્ણય કરવા માટે લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉ ઓકટોબર – 2020માં પગાર સહિતના વિવિધ પ્રાણપ્રશ્નોના નિરાકરણ માટે મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યાં હતાં. જેને પગલે પગાર વધારા તથા અન્ય માંગણીઓ સંતોષવાની સંબંધિત અધિકારીઓએ જે તે વખતે બાંહેધરી આપી હતી. જેને પગલે ઓકટોબર – 2020થી અત્યાર સુધી એમ કુલ છ મહિના આ કર્મચારીઓએ કોઇપણ અરજી કર્યા વગર માંગણીઓનો હકારાત્મક નિર્ણય આવશે તે નીતિથી નિષ્ઠાપુર્વક કામગીરી કરી હતી. હવે જ્યારે સરકાર અન્ય કર્મચારીઓની પગાર વધારાની માંગણી સંતોષી રહી છે ત્યારે રાત-દિવસ જોયા વગર કે પરિવારની પરવાહ કર્યા વગર એનએચએમના કર્મચારીઓ કામગીરી કરી રહ્યાં છે જેમની માંગણીઓનો ઉકેલ લાવવામાં આવતો નથી અને આ માંગણીઓ ફક્ત ફાઇલ બનીને મંત્રીના ટેબલે પડી રહે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો