સુરતના વકીલોએ લીધો મોટો નિર્ણય: રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા ઝડપાયેલા આરોપીઓના કેસ નહી લડે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-05-2021

ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન (District Bar Association) ના દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શન (Ramdesivir Injection) ના કાળા બજારી કરતા અને ડુપ્લીકેશન કરીને વેચતા ઝડપાયેલા આરોપીઓના કેસ નહી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, આ એક ગંભીર ગુનો છે અને આમાં આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.

સુરત (Surat) માં કોરોના (Coronavirus) ની મહામારી ચાલી રહી છે. આ દરમિયાન કેટલાક શખ્સો દ્વારા આ મહામારીમાં પણ માનવતા નેવે મૂકીને કોરોનાની સારવારમાં ઉપયોગી એવા રેમડેસીવીર ઈજેક્શન (Ramdesivir Injection) ની કાળાબજારી કરતા ઝડપાઈ ચુક્યાં છે. એટલું જ નહી દર્દીઓના જીવના જોખમમાં મૂકીને રૂપિયા કમાઈ લેવાની લાલસામાં ડુપ્લીકેટ ઇન્જેક્શન વેચતા પણ ઝડપાઈ ચુક્યાં છે. લોકોના જીવ જોખમમાં મૂકતા આવા લોકો સામે કડક કાર્યવાહી થાય તે પણ જરૂરી છે.

સુરતના વકીલો આરોપીઓનો કેસ નહી લડે: સુરત (Surat) ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના વકીલ મંડળની એક ઓનલાઈન મીટીંગ મળી હતી, જેમાં ઇન્જેક્શનના કાળા બજારી કરતા અને ડુપ્લીકેશન કરી વેચતા ઝડપાયેલા આરોપીઓના કેસ નહી લડવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં લોકો જયારે પોતાના જીવ બચાવવો મુશ્કેલ બન્યો છે, ત્યારે આવા લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને દર્દીઓ સાથે રહેવાનો અમે નિર્ણય લીધો છે. આ એક ગંભીર ગુનો છે અને આમાં આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો