સરકારે વધારી સમય મર્યાદા, વર્ષ 2019-20 નું ITR આ તારીખ સુધી કરી શકાશે ફાઇલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-05-2021

સરકારે શનિવારે વિભિન્ન આવકવેરા માટે સમયમર્યાદા 31 મે સુધી વધારી દેવામાં આવી છે, જેના હેઠળ નાણાકીય વર્ષ 2019-20 માટે પેંડીગ અથવા સુધારેલા રિટર્નનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સરકારે શનિવારે વિભિન્ન આવકવેરા માટે સમયમર્યાદા 31 મે સુધી વધારી દેવામાં આવી છે, જેના હેઠળ નાણાકીય વર્ષ 2019-20 માટે પેંડીગ અથવા સુધારેલા રિટર્નનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીબીડીટી (CBDT) એ કહ્યું કે તેને અનુપાલન જરૂરિયાતોમાં છૂટ માટે વિભિન્ન હિતધારકો પાસેથી અનુરોધ મળ્યા હતા.

સરકારે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે કોવિડ 19 મહામારીના કારણે પેદા થયેલી પ્રતિકૂળ સ્થિતિ અને દેશભરમાં કરદાતાઓ, કર સલાહકારો અને અન્ય હિતધારકો પાસેથી મળેલા અનુરોધોને ધ્યાનમાં રાખીને વિભિન્ન અનુપાલન (Income tax compliance) તારીખોની સમયસીમા વધારી દીધી છે.

સીબીડીટીએ કહ્યું કે વર્ષ 2020-21 માટે અધિનિયમની કલમ 139 ની ઉપધારા ચાર હેઠળ પેડીંગ રિટર્ન દાખલ કરવા, ઉપધારા પાંચ હેઠળ સુધારેલ રિટર્ન દાખલ કરવાની તારીખ પહેલાં 31 માર્ચ 2021 હતી, જેને વધારીને 31 મે સુધી કરી દેવામાં આવી છે. આ અધિનિયમની કલમ 148 હેઠળ નોટીસના જવાબમાં ઇનકમ ટેક્સ રિટર્ન હવે નોટિસમાં આપવામાં આવેલા સમય અથવા 31 મે 2021 સુધી ભરી શકાશે. ડીઆરપી પર વાંધો નોંધાવવા અને કમિશ્નર સમક્ષ અપીલ દાખલ કરવાની તારીખને 31 મે સુધી વધારવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો