વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાકી નર્મદાબેન મોદીનું કોરોના સારવારમાં દુઃખદ અવસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-04-2021

૮૦ વર્ષીય નર્મદાબેન છેલ્લા ૧૦ દિવસથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાકી નર્મદાબેન મોદીનું અને મંગળવારે કોરોના સારવાર દરમિયાન અવસાન થયું છે. ૮૦ વર્ષીય નર્મદાબેન કોરોના વાઈરસથી સંક્રમિત થયા બાદ તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલ દાખલ હતા અહીં જ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા હતા.

વડાપ્રધાન મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીએ આ અંગે જણાવ્યું કે, કોરોનાથી સંક્રમિત થવા પર અમારા કાકી નર્મદાબેનને ૧૦ દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના કાકીના પતિ જગજીવનદાસ વડાપ્રધાનના પિતા દામોદરદાસના ભાઈ હતા અને તેમનું ઘણાં વર્ષો પહેલા જ અવસાન થઈ ચૂક્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો