ગુજરાતીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા 60 હજાર કિલોગ્રામ આયુર્વેદિક દવા વહેંચાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-04-2021

રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણ માટે નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા ૬૦ હજાર કિ.ગ્રામ આયુર્વેદીક દવા-૧૦ લાખ ડોઝ હોમિયોપેથિક દવા ઔષધિઓનું રાજ્યવ્યાપી વિતરણ કરવામાં આવશે. ર૯૭૦૦ કિ.ગ્રામ અમૃતપેય ઊકાળો -૩૦ હજાર કિ.ગ્રામ સંશમનીવટી તથા ૧૦ લાખ ડોઝ ઓર્સેનિક આલ્બમનો રાજ્યના નાગરિકોને લાભ મળશે. રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણ માટે નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા ૬૦ હજાર કિ.ગ્રામ આયુર્વેદીક દવા-૧૦ લાખ ડોઝ હોમિયોપેથિક દવા ઔષધિઓનું રાજ્યવ્યાપી વિતરણ કરવામાં આવશે. ર૯૭૦૦ કિ.ગ્રામ અમૃતપેય ઊકાળો -૩૦ હજાર કિ.ગ્રામ સંશમનીવટી તથા ૧૦ લાખ ડોઝ ઓર્સેનિક આલ્બમનો રાજ્યના નાગરિકોને લાભ મળશે.

રાજ્યમાં અત્યાર સુધી ૧૦.૭૭ કરોડ ઊકાળા ડોઝ-૮ર.૭૦ લાખ સંશમનીવટી-૬ કરોડ ૩પ લાખ ઓર્સેનિક આલ્બમનો લાભ મેળવી નાગરિકોએ રોગપ્રતિકારક શક્તિ વધારી છે. આયુર્વેદ ઔષધિના ઉપયોગથી રાજ્યના નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારી કોરોના સામેનો જંગ જિતવાની મુખ્યમંત્રીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

કોરોના સંક્રમણની બીજી લ્હેરમાં પણ આયુર્વેદ – હોમિયોપેથિક દવાઓના વ્યાપક વિતરણ માટે જિલ્લા-તાલુકા-ગ્રામ્યસ્તરે તલાટી – સરપંચો -આશાવર્કર બહેનો સેવાભાવી સંગઠનોની મદદથી વિતરણની વ્યૂહ રચના ઘડાઇ છે. વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ, કોવિડ-19ના સંક્રમણ સામેનો જંગ  ગુજરાતમાં નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારીને જીતવા મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આરોગ્ય વિભાગ અને આયુષ આયુર્વેદ વિભાગને વ્યાપક ઉપાયો-પગલાં માટે પ્રેરિત કર્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ હેતુસર ગુજરાતમાં ૬૦ હજાર કિલોગ્રામ આયુર્વેદ દવાઓ તેમજ ૧૦ લાખ ડોઝ હોમિયોપેથી ઔષધિ -દવાઓના ઓર્ડર આપીને આ દવાઓ ત્વરાએ મેળવી તેનું રાજ્યવ્યાપી વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની  સમીક્ષા માટે નિયમીત રૂપે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાતી કોર કમિટિની બેઠકમાં  વિજયભાઇ રૂપાણીએ આ ઔષધિઓ મેળવવા માટે આયુષ અને આરોગ્ય તંત્રને સુચનાઓ આપી છે.

આ દવાઓ મેળવવા માટેના ઓર્ડર પણ આયુષ વિભાગે આપ્યા છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આયુર્વેદ દવાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે અને આ દવાઓના અનેક સારા પરિણામો મળ્યા છે તેને પગલે મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણની આ બીજી લ્હેરમાં પણ આયુર્વેદ-હોમિયોપેથી ઔષધિઓના ઉપયોગથી કોરોના સામેનો જંગ જિતવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યભરના ૩૩ જિલ્લાઓ માટે ર૯૭૦૦ કિ.ગ્રામ અમૃત પેય ઊકાળાનો જથ્થો, સંશમની વટીનો ૩૦ હજાર કિ.ગ્રામ જથ્થો તેમજ ઓર્સેનિક આલ્બમ-૩૦ ના કુલ ૧૦ લાખ ડોઝ રાજ્ય સરકાર વિવિધ સંસ્થાઓ-સંગઠનો-કેન્દ્ર સરકાર પાસેથી મેળવશે.

આ આયુર્વેદ દવાઓની વિતરણ વ્યવસ્થા પણ જિલ્લા-તાલુકા અને ગ્રામીણ સ્તર સુધી સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યુ છે તે મુજબ તલાટીઓ, સરપંચો, આશાવર્કર બહેનો અને સેવા સંસ્થાઓ મારફતે તેનું વિતરણ જન-જન સુધી કરવાની વ્યૂહ રચના ઘડવામાં આવી છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓને સારવાર ઉપરાંત તેમનામાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની બાબતને પણ વિશ્વસ્તરે સ્વીકૃતિ મળી છે ત્યારે માનવ શરીરમાં ઇમ્યુનિટી બુસ્ટ કરતી આયુર્વેદીક દવાઓનો વપરાશ વધ્યો છે.

ગુજરાતમાં કોરોનાની પ્રથમ લ્હેરમાં મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન અને પ્રેરણાથી ૯૦ લાખ પરિવારો માટે ઓર્સેનિક આલ્બમના ડોઝ, ૭૮ હજાર કિ.ગ્રામ અમૃત પેય ઊકાળા અને ૮પ હજાર કિ.ગ્રામ સંશમની વટી લોકોને પૂરી પાડવામાં આવેલી છે. સમગ્ર રાજ્યમાં ગત વર્ષ તા. ૬ માર્ચ-ર૦ર૦થી આ ઔષધિઓના વિતરણ દ્વારા અત્યાર સુધીમાં એટલે કે તા. રર એપ્રિલ-ર૦ર૧ સુધીમાં ૧૦.૭૭ કરોડ અમૃત પેય ઊકાળા ડોઝ લાભાર્થીઓ, ૮ર.૭૦ લાખ સંશમની વટીના અને ૬ કરોડ ૩પ લાખ ઓર્સેનિક આલ્બમ-૩૦ ના લાભાર્થીઓને આવરી લઇ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો સફળ પ્રયોગ હાથ ધરાયો છે.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આયુર્વેદ ઔષધિઓના ઉપયોગથી લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારીને જનસહયોગથી કોરોના સામેનો જંગ જિતવા ‘‘હારશે કોરોના-જિતશે ગુજરાત’’ની પ્રતિબદ્ધતા સાથે આ વધુ આયુર્વેદ ઔષધિઓનો જથ્થો મેળવી તેની સઘન વિતરણ વ્યવસ્થાથી જનઆરોગ્ય સુખાકારીમાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ કોર કમિટીની બેઠકમાં વ્યકત કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો