ભારતીય વાયુસેનાના વિમાનો ઓક્સિજન લેવા માટે સિંગાપુર પહોંચ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-04-2021

દેશમાં કોરોનાની જીવલેણ લહેર વચ્ચે ઓક્સિજનની તંગી વધારે ઘાતક પૂરવાર થઈ રહ્યા છે. લોકો ઓક્સિજન માટે વલખા મારી રહ્યા છે ત્યારે ભારતીય વાયુસેનાએ ઓક્સિજન સપ્લાય માટે મોરચો સંભાળ્યો છે.

શુક્રવારથી વાયુસેનાના વિમાનો ઓક્સિજન પહોંચાડવા માટે કામે લાગી ચુક્યા છે. આજે વાયુસેનાના સી-17 વિમાનો ઓક્સિજન ટેન્કના ચાર કન્ટેનર ભરવા માટે સિંગાપુરના ચાંગી એરપોર્ટ પર પહોંચ્યા છે. આ ચાર કન્ટેનરને ઓક્સિજન સાથે લોડ કરીને આ વિમાનો આજે સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળના પનાગર એરબેઝ પર ઉતરશે.

આજે આ વિમાનોએ ગાઝીયાબાદના હિન્ડન એરબેઝથી સિંગાપુર જવા માટે ઉડાન ભરી હતી. આ પહેલા ગઈકાલે વાયુસેના દ્વારા ઓક્સિજન ટેન્કરોને વિમાનો થકી દેશમાં વિવિધ ઓક્સિજન પ્લાન્ટ પર પહોંચાડવાનુ શરકુ કરી દીધુ છે. જેથી ઓક્સિજન દર્દીઓ સુધી વહેલી તકે પહોંચી શકે.

આ સિવાય વાયુસેના દેશના વિવિધ વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ માટે દવાઓ અને બીજા ઉપકરણો પણ પહોંચાડી રહી છે. ભારત કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યુ છે અને ભારતની મુશ્કેલી હળવી કરવા વાયસેનાએ પોતાના સી-17, આઈએલ-76, એન-32 જેવા માલવાહક વિમાનોને કામે લગાડ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો