ઓક્સિજન સપ્લાયના અભાવે મોત થશે તો ગુનો ગણાશે: કોર્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-04-2021

દેશની રાજધાની દિલ્હીમાં ઓક્સિજનની સપ્લાયને લીધે મચેલા ઘમાસાણ વચ્ચે ગુરૂવારે હાઇકોર્ટે કહ્યું, ઓક્સિજનની અછતના લીધે જો કોઇ દર્દીનો જીવ જાય તો તેને અપરાધ ગણવામાં આવશે.

દિલ્હી હાઇકોર્ટએ કહ્યું કે અમે કેંદ્ર સરકારને નિર્દેશ આપતાં તે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને અમારા આદેશોનું કડક પાલન કરાવે. આદેશો પર અમલ ન થતાં આપણે જીંદગીઓ ગુમાવી દઇશું અને અપરાધ છે. સાથે કોર્ટે આદેશ આપ્યો કે કેંદ્ર ઓક્સિજન ટેન્કરો માટે વધારે સંરક્ષણ પુરૂ પાડવામાં આવે, અને ઓક્સિજનના ટ્રાંસપોર્ટ માટે એક અલગ કોરિડોર તૈયાર કરે. સુનાવણી દરમિયાન કોર્ટે દિલ્હી સરકાર પાસે તે હોસ્પિટલોનું લિસ્ટ પણ માંગ્યું, જેમાં ઓક્સિજનની અછત છે. પરંતુ કેંદ્રએ કહ્યું કે લિસ્ટ અત્યારે આપવાના બદલે તે થોડીવાર બાદ પણ આપી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો