રાજકોટની સ્થિતિ અત્યંત વિકટ : એક ઓક્સિજનનો બાટલો મેળવવા પણ લોકોને ફાંફા મારવા પડે તેવી સ્થિતિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-04-2021

કોરોનાએ અજગર ભરડો લીધો છે. છેલ્લા 24 કલાકમાં 59 દર્દીઓનાં સિવીલ હોસ્પિટલની અંદમ મોત નિપજ્યા છે. કોરોનાનાં કેસમાં સતત વધારો થતા કોરોના દર્દીઓ હોમ આઇસોલેટ સૌથી વધુ થઇ રહ્યા છે. ઓક્સિજનનું પ્રમાણ ઓછું આવતું હોવાથી ઓક્સિજનની માંગમાં પણ વધારો થયો છે. રાજકોટની સામાજીક સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટે હોળી-ધુળેટીનાં તહેવાર બાદ અત્યાર સુધીમાં 28 લાખની ફિક્સ ડિપોઝીટ તોડીને 1 હજાર ઓક્સિજન સિલીન્ડર ખરીદ કર્યા છે અને ઓક્સિજન સિલિન્ડર સેવા યજ્ઞ શરૂ કર્યો છે.

કોરોનાએ અજગર ભરડો લીધો છે. છેલ્લા 24 કલાકમાં 59 દર્દીઓનાં સિવીલ હોસ્પિટલની અંદમ મોત નિપજ્યા છે. કોરોનાનાં કેસમાં સતત વધારો થતા કોરોના દર્દીઓ હોમ આઇસોલેટ સૌથી વધુ થઇ રહ્યા છે. ઓક્સિજનનું પ્રમાણ ઓછું આવતું હોવાથી ઓક્સિજનની માંગમાં પણ વધારો થયો છે. રાજકોટની સામાજીક સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટે હોળી-ધુળેટીનાં તહેવાર બાદ અત્યાર સુધીમાં 28 લાખની ફિક્સ ડિપોઝીટ તોડીને 1 હજાર ઓક્સિજન સિલીન્ડર ખરીદ કર્યા છે અને ઓક્સિજન સિલિન્ડર સેવા યજ્ઞ શરૂ કર્યો છે.

રાજકોટ બોલબાલા ટ્રસ્ટનાં પ્રમુખ જયેશ ઉપાધ્યાયનાં જણાવ્યા મુજબ, રાજકોટમાં કોરોનાની સ્થિતી ગંભીર થતા હોસ્પિટલોમાં બેડ નથી. ઓક્સિજનની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. એક સમયે 300 સિલિન્ડર ઓક્સિજનનાં હતા. જે વધારીને અમારે 1000 સિલિન્ડર વસાવવા પડ્યા છે. ઓક્સિજન સિલિન્ડર યજ્ઞ શરૂ કર્યો છે. જેમાં ડિપોઝીટ લઇને ઓક્સિજન સિલિન્ડર આપી રહ્યા છીંએ. ઓક્સિજન સિલિન્ડર મેળવવા માટે સવારથી જ લોકોની લાઈન લાગે છે અને રાત્રિના સમયે પણ લોકો આવે છે. હોમ કોરોન્ટાઇન થયેલા લોકો સૌથી વધુ ઓક્સિજન સિલિન્ડર લેવા આવી રહ્યા છે. 1 હજાર સિલિન્ડર છે પણ માંગ 5 હજાર સિલિન્ડર થાય તો પણ સંતોષી શકીએ તેમ ન હોવાનું જણાવ્યું હતું. બોલબાલા ટ્રસ્ટ પાસે પણ રૂપીયા ખુટી રહ્યા હોવાથી લોકોને છુટા હાથે દાન કરવા અપિલ કરી હતી.

બોલબાલા ટ્રસ્ટની આ પહેલને જોઇને રાજકોટનાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને પણ સાથ અને સહકાર આપ્યો છે. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો.નાં ચેરમેન રમેશભાઇ ટીલારાએ જણાવ્યું હતું કે, ઓક્સિજનની માંગ વધુ હોવાથી શાપર વેરાવળનાં 4 ઓક્સિજન પ્લાન્ટને ઓક્સિજનનો સ્ટોક કરવા સુચન આપવામાં આવ્યું છે. લોકોનાં જીવ બચાવવા માટેનો પ્રયાસ કરીએ છીએ. હાલ તો રાજકોટમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે સામાજિક સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટે લોકોના જીવ બચાવવા ઓક્સિજનના સિલિન્ડર સેવા યજ્ઞ શરૂ કર્યો છે. હોમ ક્વોરન્ટાઈન લોકો આ સિલિન્ડર લેવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો