મોરબી શહેર ભગવાન ભરોસે

સરકારી હોસ્પિટલોમાં કોઈ ભાવ પૂછતુ નથી, ખાનગી હોસ્પિટલોમાં સારવારના નાણા કાઢવા કયાંથી ?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-04-2021

આજે દેશમાં અને આપણા રાજ્યોમાં કોરોના એ એક વર્ષ બાદ પણ ફરી માથું ઉચકી પુનરાવર્તન કર્યું છે તેમાં કોને કેટલા જવાબદાર ગણવા કેટલા નહીં આ પરિસ્થિતિમાં ગણિતના આંકડાઓ કહેવા મુશ્કેલ છે જેમાં કોરોનાની વણસેલી પરિસ્થિતિએ સરકાર ખુદ આબરૂ ઢાંકવા કોરોના ના પોઝિટિવ ને મોતના આંકડા બતાવવા સરકારની તેવડ બાર ની વાત થઈ ગઈ છે એક તરફ લોકોના આરોગ્યની ચિંતા કરવાના દાવા કરતી આજની સત્તાધારી સરકારે ખુદ ચૂંટણીઓ જાણે ગુજરાતમાં હોય કે અન્ય રાજ્યોમાં તે સમયે કોરોના લોકડાઉન ના બદલે બ્રેકડાઉન માં આવી જાય સરકાર ખુદ કોરોના ના નિયમ તેના ઈશારે નાચતા તેના આરોગ્ય ખાતા મારફત લોકો વચ્ચે જાહેર કરે અને લોકો ને વંચાવે જાહેર કરે પણ ચૂંટણીઓમાં તેની સભા રેલી કાર્યક્રમ માં તે ખુદ કોરોના નિયમોનો ઉલાળીયો કરી સુધરેલી પરિસ્થિતિને ફરી ઉભી કરી લોકોની મુશ્કેલીઓ વધારે પણ વધારે તો ભલે વધારે પણ સરકાર બગાડેલી કોરોના પરિસ્થિતિ ને સુધારવા લોકોના આરોગ્ય વ્યવસ્થા પૂરી પાડવાની તેવડ તો છે ને તો પછી તો લોકોના જનજીવન અને આરોગ્ય સાથે શુ કામ નિયમોનો ભંગ કરી ચેડા કરે છે છે કે કોઈ સત્તાધારી સરકાર ને કહેવા વાળુ કે સરકાર સામે અવાજ ઉઠાવવા વાળું આજે વિરોધ પક્ષોની પણ શુ વાત કરી તે પણ આજે સરકાર સામે માંદો પડ્યો પડ્યો હોય ને જાણે મરવાના વાંકે જીવતો હોય તેવી હાલની પરિસ્થિતિએ લોકોમાં જ આવા સવાલો ઊભા કરે છે પહેલા નોટબંધી આવી ઘરબંધી હવે શું બાકી છે એ કહેતા પહેલા વિચાર કરવો પડે છે એક પછી આવતા આવા પડકારો એ દેશની ને રાજ્યોની આર્થિક અને માનસિક પરિસ્થિતિ બંને ખરાબ કરી નાખી છે છતાં સત્તાધારી સરકાર નાના છોકરા ની જેમ પીપુડા વગાડ્યા કરે છે કે ચિંતા કરતાં નહીં સરકાર તમારી સાથે જ છે અમે કોરોના કાળમાં કોઈને કોરા નહિ રહેવા દઈએ દરેકે કોઈને કોઈ પરિસ્થિતિનો સામનો કરતા જ રહેવાનું છે આમા માણસને સરકાર ભરોસે જીવવાનું કે ભગવાન ભરોસે એ નક્કી નથી થાતુ લોકોને નોટબંધી થી તૂટેલી કમર આજે પણ સાજી નથી થઇ ત્યાં આવા કોરોના સહિત ના પડકારો લોકો જીલતા જીલતા વગર મોતે જાણે કેમ મરી જતા હોય તેવો ઘાટ ઉભો થાય છે આજે મોરબી ની વાત કરીએ ફરી એક વર્ષ બાદ કોરોના માથું ઉંચકતા લોકોના જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયા છે કોરોના ના કળિયારા એ ઘરે ઘરે માંદગીના ખાટલા કરી દેતા લોકોને ઘરમાં રહેવું કે બહાર જવું એ ચિંતાનો વિષય બન્યો છે જેમાં મધ્યમ વર્ગને ગરીબીને નબળા વર્ગોની હાલત ખરેખર આજે ધોબીના કૂતરા જેવી જ થઈ ગઈ છે મોરબી જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી કોરોના નું સંક્રમણ વધતા ને કોરોના વાયરસે માથું ઉંચકતા લોકોના બજેટ ખોરવી નાખ્યા છે રોજ ખાનગી હોસ્પિટલમાને ટેસ્ટિંગ ના આંકડા બહાર આવતા ત્રણ આંકડા થી વધુ મોટી સંખ્યામાં આંકડા બહાર આવતા કોરોનાના મોરબી જિલ્લાના શહેરને તાલુકાઓમાં કેસોના આંકડા ત્રણ આંકડા થી વધુ માં આવી રહ્યા છે મોતના આંકડામાં પણ સરકારના જુદા ને અંતિમ વિધિમાં સ્મશાન ગૃહના આંકડા માં ફેરફાર જોવા મળી રહ્યો

છે જેમાં સરકારના વિભાગો ના ચોપડે છેલ્લા 20 દિવસ માં એક પણ મોત નથી 20 દિવસમાં મોરબી નગરપાલિકા ફાયર બિગેડ એ 5 દિવસ માં 20 ના અગ્નિસંસ્કાર કર્યા 8 માસમાં 130 મૃતદેહો ને અગ્નિસંસ્કાર કર્યાના ચોપડે જ્યારે સરકારી માં માત્ર 19 બોલે હાલ મોરબી જિલ્લામાં કોરોના ના કળિયારા એ હદ વટાવી છે લોકોની હાલત બગાડી નાખી છે સિરામિક સિટી તરીકે જાણીતા મોરબીમાં ધંધાને ઉદ્યોગોમાં ભગવાનની મહેરબાની છે કોરોના કાળ માં લોકોના ધંધા બીમાર પડી ગયા છે લોકોના ઘર માં સભ્યો કોરોના સંક્રમિત થાય તો મુશ્કેલીનો પાર નથી રહેતો લોકો તેનું જીવન બચાવવા દવા લેવી હોય તો સરકારી દવાખાના માં સમયસર દવા કે સારવાર હાલની પરિસ્થિતિએ બધાને નથી મળતી કોરોના પોતાના ને છે કે નહીં તે જાણવા કોરોના ટેસ્ટીંગ કીટ નો પણ અભાવ જોવા મળી રહ્યો છે જેથી ટેસ્ટ માંટે અવારનવાર હોબાળો થાય છે મધ્યમ વર્ગ અને નાનાવર્ગ ને ખાનગી હોસ્પીટલમાં ઈલાજ પોસાય તેમ નથી સરકારી હોસ્પિટલમાં કોઈ નક્કર વ્યવસ્થાનો અભાવ છે માણસ કરે શું જો ખાનગી હોસ્પિટલમાં દવાના રૂપિયા વાપરે તો ઘરના બજેટ ખોરવાઈ જાય એક બાજુ મકાન નું ભાડુ,લાઈટ બિલ, લોનના હપ્તા,ઘર ખર્ચ આવી અનેક મુશ્કેલીઓ માણસ ની માનસિક હાલત બગાડી નાખે છેસરકાર તો જાણે નક્કી કર્યું હોય કે આ કોરોના કાળમાં કોઈ કોરૂ ન રહેવું જોઈએ કોઈને કોઈ સમસ્યાથી પરિસ્થિતિ બગડતા સરકાર લોકડાઉન કરી નાખે એ લોકોનો આરોગ્યને ધ્યાને લઇ સારી બાબત છે એમા ના નહી લોકો નું સંક્રમણ અટકે પણ આ ફરી રાત્રે 8 થી સવારના 6 નું લોકડાઉન આવતા રાત્રી ધંધા ખાણીપીણી ઠંડાપીણા લોજ રેસ્ટોરન્ટ હોટલો સહિતના ધંધા બંધ થઈ ગયા સાથે તે ધંધાની સાથે સંકળાયેલા નાના રોજમદારોને નાના માણસોના પગાર બંધ થઈ જાય ધંધા બંધ થાય એટલે આવક બંધ ઘર કેમ ચલાવવું ને કોરોના ની બીમારીમાં દવા કેમ લેવી અનેક મુશ્કેલી ના ધાળા લોકો પર ઉતરી જાય છે ત્યારે હાલ રોજિંદી જરૂરિયાત ના ધંધા ચલાવવા મુશ્કેલ છે ત્યારે કાપડ,ઇમિટેશન,વાસણો, ગિફ્ટ આર્ટિકલ ઇલેક્ટ્રોનિક સહિત ના ધંધા બંધ ની વાતો ચાલે છે

મોરબી ની બજારોમાં જાય એટલે જેટલી દવાખાનાને મેડિકલ સ્ટોરમાં લાઈનો હોય તેટલી કોઈ પણ ધંધો કરતો વેપારી ની દુકાન પાસે ગ્રાહકોની લાઈન તો શુ ગ્રાહક પણ ઘણી દુકાને જોવા નથી મળતા બજારો જાણે આપણને ખાવા દોડે છે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે હાલ માં લોકોના ધંધા 20 થી 25 ટકા પુરા રહ્યા નથીકોરોના કાળ માં બોલો આજે વેપારીઓને ઉદ્યોગકારો ને પૂછીએ તો એ કહે છે ધંધા તો ઠીક આપણે આપણી ને આપના પરિવાર જિંદગી બચે તો ધંધા છે આજે મોરબીમાં લોકોને સરકારી કે ખાનગીમાં પૈસા ખર્ચી ખાનગીમાં સારવાર લેવી હોય તો ક્યાંય જગ્યા નથી સરકારને સરકારી તંત્ર આરોગ્યતંત્ર મોટી મોટી વાતો કરવામાં થાકતું નથી લોકોને હાલ ની આ પરિસ્થિતિમાં સારવાર મળે એવી વધારાની વ્યવસ્થા પણ સરકારી તંત્ર કરી નથી શકતું સરકારે પ્રથમ વખત ગતમાર્ચ માં કોરોના આવ્યું ત્યારે તંત્ર એ દેશની વ્યવસ્થા ની વાહવાહી માટે પોતાના આંકડા છુપાવ્યા ને પુરી આરોગ્ય વ્યવસ્થા ઉભી ન કરી શકી તેનું આજે સૌરાષ્ટ્ર ગુજરાત ને દેશ પરિસ્થિતિ ભોગવી રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો