અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ 15 એપ્રિલ સુધી લંબાવાયો, રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો છે રાત્રિ કર્ફ્યૂ રહેશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-03-2021

રાત્રિ કર્ફ્યૂ 15 એપ્રિલ સુધી લંબાવાયો, 4 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો, અમદાવાદ,રાજકોટ,સુરત,વડોદરામાં છે રાત્રિ કર્ફ્યૂ, રાત્રે 9 થી સવારે 6 સુધી રહેશે કર્ફ્યૂ, કોવિડ ગાઈડલાઈનનો અમલ 30 એપ્રિલ સુધી

રાજય સરકારે કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો અમલ તા. ૩૦ એપ્રિલ સુધી લંબાવ્યો

ચાર મહાનગરોમાં રાત્રિ કરફયુ તા.૧પમી એપ્રિલ સુધી યથાવત અમલમાં રહેશે: ગુજરાતમાં કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અંગેની ભારત સરકારની ગાઇડ લાઇન્સનો અમલ આગામી તા.૩૦ એપ્રિલ-ર૦ર૧ સુધી લંબાવવામાં આવ્યો છે

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી તા.૩૦ એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે

આ ઉપરાંત, રાજ્યના ૪ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જે રાત્રિ કરફયુ અમલમાં છે તે પણ આગામી તા.૧પ એપ્રિલ-ર૦ર૧ સુધી યથાવત ચાલુ રાખવામાં આવશે તેમ પણ ગૃહના અધિક મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો