નોકરીયાત માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી 5 કલાક કામ કરવું પડશે, જાણો સરકારનો પ્લાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-03-2021

1 એપ્રિલ (1st april 2021)થી કેન્દ્ર સરકાર રોજગાર મેળવતા લોકો માટે મોટા ફેરફારો કરી શકે છે. નોકરીયાતની ગ્રેજ્યુટી, પીએફ અને કામના કલાકોમાં મોટા ફેરફારો કરી શકાય છે. માનવામાં આવે છે કે, કર્મચારીઓના પીએફમાં વધારો થઈ શકે છે. ત્યારે, ટેક હોમ સેલરી ઓછી થઈ શકે છે. આ સિવાય કંપનીઓની બેલેન્સશીટમાં પણ ઘણા ફેરફારો કરાવામાં આવી શકે છે

તમને જણાવી દઈએ કે ગત વર્ષે સંસદમાં પસાર થયેલા ત્રણ વેતન કોડ બિલ (કોડ ઓન વેતન બિલ) ને કારણે આ ફેરફારો થઈ શકે છે. આ બિલ આ વર્ષે પહેલી એપ્રિલથી લાગુ થવાની સંભાવના છે.

1. પગારમાં પરિવર્તન – સરકારની યોજના મુજબ, 1 એપ્રિલથી, મૂળ પગાર (સરકારી નોકરીમાં મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થું) કુલ વેતનના 50 ટકા અથવા વધુ હોવું જોઈએ. સરકારનો દાવો છે કે, આ ફેરફારથી રોજગારદાતા અને કામદારો બંનેને ફાયદો થશે.

2. પીએફ વધી શકે છે – નવા નિયમો ઉપરાંત, જ્યારે તમારા પીએફમાં વધારો થશે, તમારા ટેક હેન્ડ સેલરી ઓછી થઈ શકે છે. એટલે કે, મૂળ પગાર કુલ વેતનના 50 ટકા અથવા તેથી વધુનો હોવો જોઈએ. આ ફેરફાર પછી, મોટાભાગના લોકોના પગારની રચના બદલાઈ શકે છે. એટલે કે મૂળ પગાર વધવાથી, તમારા પીએફમાં પણ વધારો થશે. કારણ કે તે તમારા મૂળ પગાર પર આધારિત હોય છે.

3. 12 કલાક કામ કરવાનો પ્રસ્તાવ – આ સિવાય મહત્તમ કામકરવાના કલાકોને વધારીને 12 કરવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. આ સિવાય ઓવરટાઇમમાં 15 થી 30 મિનિટ વધારાના કામનો સમાવેશ કરવાની જોગવાઈ છે. હાલમાં, જો તમે 30 મિનિટથી ઓછા સમય માટે વધારે કામ કરો છો, તો તે ઓવરટાઇમમાં ગણવામાં આવતું નથી.

4. 5 કલાક કામ કર્યા પછી અડધા કલાકનો વિરામ – આ ઉપરાંત, સતત 5 કલાકથી વધુ કામ કરવા પર પ્રતિબંધ રહેશે. સરકારનું માનવું છે કે, કર્મચારીઓને 5 કલાક કામ કર્યા પછી અડધા કલાકનો વિરામ આપવો જોઈએ.

5. રિટાયરમેન્ટની રકમ વધશે – પીએફની રકમ વધવાના કારણે નિવૃત્તિની રકમ પણ વધશે. નિવૃત્તિ પછી, લોકોને આ રકમથી ઘણી સહાય મળશે. પીએફ અને ગ્રેજ્યુઇટીમાં વધારો થવાથી કંપનીઓના ખર્ચમાં પણ વધારો થશે કારણ કે તેઓએ પણ કર્મચારીઓ માટે પીએફમાં વધુ ફાળો આપવો પડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો