માર્ચ 2021માં 11 દિવસ બેંક રહેશે બંધ અને સાથે આવશે આ ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું કરશે અસર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-02-2021

1 માર્ચથી અનેક નિયમો બદલાવવા જઈ રહ્યા છે જેની અસર સામાન્ય લોકોના જીવન પર થશે. કેટલીક બેંકોની સાથે જોડાયેલા ખાસ નિયમો વિશે જાણવું જરૂરી છે. જો તમે સમય પર બેંકના નિયમોને જાણશો નહીં તો તમારું એકાઉન્ટ બંધ કરી દેવાશે.

આ બેંકે ગ્રાહકોને એલર્ટ કર્યા છે કે નવા મહિનાથી ઈ વિજયા અને ઈ દેનાના આઈએફએસસી કોડ બદલાઈ જશે. 1 માર્ચ 2021થી તે બંધ થઈ જશે. બેંક ઓફ બરોડાએ ગ્રાહકોને કહ્યું કે નવા આઈએફએસસી કોડ લેવાનું સરળ છે. બેંકે આ માટે સરળ રીત બતાવી છે. કસ્ટમરે ગ્રાહકોને કહ્યું છે કે નવા કોડ માટે બેંકની વેબસાઈટ પર જાઓ અને મેસેજની મદદ લો. બેંકે આ માટે ટોલ ફ્રી નંબર  18002581700 જાહેર કર્યો છે. નવા આઈએફએસસી કોડ માટે બેંકની તરફથી મોબાઈલ નંબર 8422009988 આપવામાં આવ્યો છે.

આ બેંકોમાં બદલાશે નિયમો

બેંક ઓફ બરોડા સિવાય પંજાબ નેશનલ બેંકના આઈએફએસસી કોડના નિયમો પણ બદલાઈ રહ્યા છે. પંજાબ નેશનલ બેંક સહયોગી બેંકો ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાના જૂના ચેક અને આઈએફએસસી કે એમઆઈસીઆર કોડમાં ફેરફાર કરવા જઈ રહી છે. જો કે 31 માર્ચ સધી જૂના કોડ કામ કરશે જેથી ગ્રાહકોને નવા કોડ મળી શકે અને તકલીફ ન પડે.

માર્ચમાં બેંકમાં રહેશે અનેક રજાઓ

રજાઓને લઈને રિઝર્વ બેંકે એક કેલેન્ડર જાહેર કર્યું છે. તેમાં માર્ચ મહિનામાં બેંકમાં 11 દિવસ રજા જાહેર કરાઈ છે. તો તમે પણ આ દિવસનું પ્લાનિંગ પહેલાથી કરી લો અને પતાલી લો તમારા તમામ કામ.. 5 માર્ચ, 11 માર્ચ, 22 માર્ચ, 29 માર્ચ અને 30 માર્ચે રજા રહેશે. આ સિવાય માર્ચના 4 રવિવાર અને 2 શનિવારની રજા રહેશે. તો કુલ 11 દિવસ બેંક બંધ રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો