ફરિયાદ અરજી અનુસંધાને તપાસ કરી FIR દર્જ કરો, અથવા FIR દર્જ ન કરવાનું કારણ નિયત સમયમર્યાદમાં લેખિતમાં જણાવો
મોરબીની સદભાવના હોસ્પિટલમાં જયશ્રીબેનનો વેન્ટિલેટરના અભાવે ડોક્ટરોની ઘોર બેદરકારીના પાપે તડપી તડપીને જીવ ગયો હતો
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-10-2020તાજેતરમાં મોરબી ખાતે આવેલ સદભાવના ટ્રસ્ટ સંચાલિત કોવિડ-૧૯, સેન્ટરના ડોકટર જયેશ પટેલ અને મનુ પારીયા વિરુદ્ધ રાધેશભાઈ કિશનભાઈ બુધ્ધભટ્ટીએ પોતાની માતા જયશ્રીબેનનું ડોક્ટરોની ઘોર બેદરકારીથી મૃત્યુ નિપજ્યા હોવાની ફરિયાદ પોલીસ અધિક્ષક મોરબીને રજીસ્ટર એડી થી 17-8-2020 ના રોજ ફરિયાદ અરજી કરેલ હતી, તારીખ: ૮/૮/૨૦૨૦ના રોજ બનેલ આ કરૂણ ઘટનાએ સમગ્ર પંથકમાં અને રાજ્યમાં ભારે ચકચાર જગાવી છે, આ ઘટનાના વિરોધમાં રાજ્યભરમાં નાના મોટા શહેરો અને ગામોમાંથી બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો સાથે આવેદન પત્રો આપી ઠેર ઠેરથી વિરોધ થયા હતા, પરંતુ નિંભર તંત્ર અપરાધી ડૉક્ટરોના બચાવ કરતા હોવાનું અને સમગ્ર પ્રકરણને દબાવી દેવાની કોશિશ કરતું હોવાનું અનુભવતા અંતે ફરિયાદીએ હાઇકોર્ટમાં ન્યાય મેળવવા રીટ પીટીશન દાખલ કરેલ હતી જેના અનુસંધાને તારીખ 5-10-2020 ના રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોરબી પોલીસને સૂચના આપતા જણાવ્યું છે કે ફરિયાદીની અરજી પર તુરંત કાર્યવાહી કરી FIR દર્જ કરો અથવા FIR દર્જ ન કરવાના કારણો ફરિયાદીને નિયત સમયમર્યાદામાં લેખિતમાં જણાવો તેવી પોલીસને સૂચના અપાઈ છે.
અત્યાર સુધી સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ ગુજરાતભરમાંથી અપાયેલ આવેદનપત્રોની વિગત
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63