સંસ્કૃત ભારતી-મોરબી દ્વારા જિલ્લામાં બાળકોમાં સંસ્કારના સિંચન માટે ઓનલાઇન સંસ્કૃત બાળશિબિરનું આયોજન થયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-08

સંસ્કૃત ભારતી , ગુજરાત દ્વારા લોકડાઉનના સમયમાં ઘરે રહેતાં બાળકો ભારતીયસંસ્કૃતિને જાણે અને સંસ્કૃતભાષા થકી આધુનિક કાળમાં એમનું સંસ્કારસિંચન થાય તથા એમનાં જીવનને યોગ્ય દિશાદર્શન મળી શકે એ હેતુથી તાજેતરમાં એક બાળશિબિરનું આયોજન કરાયું હતું . જેમાં આશરે ૪૦ બાળકો ઓનલાઈન સંસ્કૃત શીખ્યાં .સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો . તા.24 થી 29 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી આ બાળશિબિરનું સમાપન તા.30 ઓગસ્ટ રવિવારના રોજ સાંજે 5 વાગ્યાથી હતું.સમાપન કાર્યક્રમમાં હેતવ નામના વિદ્યાર્થીએ સંપૂર્ણ સંસ્કૃતમાં કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમની વિશિષ્ટતામાં સંપૂર્ણ સંસ્કૃત ભાષામાં જ રજૂ થયેલી કૃતિઓ અભિનય ગીત,શ્લોક, સંવાદ,રત્ન કનિકા, બાળ વાર્તા, સંખ્યાજ્ઞાન, પરિચય, સ્મરણ ક્રિયા, વગેરે ધ્યાનાકર્ષક રહ્યું. કાર્યક્રમને સફળ બનાવવામાં મોરબી સંસ્કૃતભારતીના મહિલા સદસ્યા બહેનો કૃપાનીબેન, ઉષાબેન, દિક્ષાબેન, આશાબેન, પલ્લવીબેન વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે દીપેશભાઈ કતીરા, મુખ્ય અતિથિ તરીખે નિખિલભાઈ જોષી અને વિશેષ અતિથિમાં પ્રણવભાઈ રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63