મોરબીના એસ.પી. ડૉ કરણરાજ વાઘેલાની વડોદરા ખાતે બદલી : નવા એસ.પી. તરીકે એસ.આર. ઓડેદરાએ ચાર્જ સંભાળ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-08,

રાજ્ય સરકાર દ્વારા મોડી રાત્રીમાં રાજ્યના 74 આઇપીએસ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાની વડોદરા બદલી કરવામાં આવી છે. તેમને વડોદરા ઝોન 3ના ડેપ્યુટી કમિશ્નરની જવાબદારી સોંપવામાં આવી છે. મોરબીના એસપી તરીકે ડો.કરણરાજ વાઘેલાએ બે વર્ષ દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા ઉપરાંત મોરબી જિલ્લામાં કોરોનાના અને લોકડાઉન દરમિયાન ખૂબ સરસ કામગીરી બજાવી હતી. તેમજ તેમના કાર્યકાળ દરમિયાન દરેક નાના મોટા પોલીસકર્મીઓમાં એક સારા અને દરેક સ્ટાફનું ધ્યાન રાખનાર અધિકારી તરીકેની ઓળખ પ્રસ્થાપિત થઈ હતી.

જ્યારે મોરબીના જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલાની બદલી થતા તેમની જગ્યાએ એસ.આર.ઓડેદરા(IPS)ની નિમણૂક કરવામાં આવી છે. એસ.આર.ઓડેદરા નર્મદા જીલ્લામાં એસઆરપી ગ્રુપ 18ના કમાનડેટ તરીકે ફરજ નિભાવતા હતા. જ્યાંથી તેમની મોરબી જિલ્લા પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી છે. મોરબીના એસપી તરીકે મુકાયેલા એસ.આર.ઓડેદરા અગાવ રાજકોટ શહેરમાં DCP તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63