રાજ્યમાં જન્માષ્ટમી-તાજિયા સહિતના તહેવારોની ઉજવણી રદ્દ, નવરાત્રીના આયોજન સામે પ્રશ્નાર્થ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-07,

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોરોનાના વધતા કેસને લઈને રાજ્ય સરકાર સતત ચિંતિત છે. કોરોનાનો ચેપ વધાર ન ફેલાય તે માટે સરકારે ઓગસ્ટ મહિનામાં આવનારા તમામ તહેવોરની ઉજવણી રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર નથી ઈચ્છતી કે ઉત્સવોની ઉજવણી દરમિયાન ભીડ એકઠી થાય અને તેના કારણે ચેપ ફેલાવાનું જોખમ ઊભું થાય.

તહેવારોને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં તમામ ઉત્સવો મોકુફ રાખવામાં આવશે. નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં હિંદુઓના બે મોટા ઉત્સવ ભાદરવી પૂનમ અને જન્માષ્ટમી આવે છે. જ્યારે મુસ્લિમોમાં તાજિયા જુલુસનું આયોજન થવાનું હતું. જોકે, મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં તમામ ઉત્સવોની ઉજવણી મોકુફ રાખવામાં આવે છે. ભાદરવી પૂનમ અને જન્માષ્ટમીની ઉજવણી થશે નહીં. તેમજ તાજિયા જુલુસ પણ યોજાશે નહીં. એટલું જ નહીં આવી પરિસ્થિતિ રહેશે તો નવરાત્રી પણ નહીં થાય.

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોની સમીક્ષા કરવા અને પરિસ્થિતિની વિગતો મેળવવા માટે ગયા છે. તેમણે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે સાતમ-આઠમ, બકરી ઈદ સુધી મારી અપીલ છે કે કોઈ કાર્યક્રમ યોજવામાં ન આવે. નવરાત્રીમાં પણ આવી પરિસ્થિતિ હશે તો તેનું આયોજન પણ નહીં થાય.

રાજકોટ આવેલા સીએમ રુપાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમને શું રાજ્ય સરકાર કોરોનાથી થતાં મોતના આંકડા છૂપાવી રહી છે તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. જેનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં સાત ટકા સુધી મૃત્યુદર પહોંચ્યો હતો ત્યારે પણ સરકારે મોતના આંકડા નહોતા છૂપાવ્યા, તો અત્યારે કેમ છૂપાવીએ?

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63