રાજસ્થાનથી ગુજરાત આવતાં લોકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન સરકારે એકાએક રતનપુર બોર્ડર સીલ કરી દીધી હતી. અને રાજસ્થાનથી ગુજરાત આવતાં લોકોની તમામ કારોને રોકી દેવામાં આવી હતી. જેના કારણે અનેક લોકો બોર્ડર પર અટવાયા છે.
રાજસ્થાન સરકારે આજે અચાનક બોર્ડર સીલ કરી દીધી હતી. અને રાજસ્થાનમાંથી ગુજરાત પરત આવવા પર રોક લગાવી દીધી હતી. રાજસ્થાનની બોર્ડર પર અંદાજે 250 કાર ફસાઈ ગઈ હતી. અને તેને કારણે રાજસ્થાનથી ગુજરાત આવતાં અનેક લોકો ફસાયા હતા. રાજસ્થાન સરકાર દ્વારા અચાનક બોર્ડર સીલ કરતાં અનેક લોકોની મુશ્કેલી વધી ગઈ હતી.
રાજસ્થાનમાં ચાલતી રાજકીય ખેંચતાણને કારણે બોર્ડર સીલ કરી દેવાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે આ પાછળનું સત્તાવાર કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. પણ રાજસ્થાનની સરકારનાં આ તઘલખી નિર્ણયને કારણે અનેક ગુજરાતીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63