મોરબી જિલ્લામાં આજે એક સાથે 11 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેમાં મોરબીના 7, હળવદના 3 અને વાંકાનેરમાં 1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે આજે બે દર્દીના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે 5 લોકો સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી છે.
જિલ્લાના અત્યાર સુધીના કેસનો આંકડો 257એ પહોચ્યો છે. વધુમાં આજરોજ બે દર્દીઓનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પણ નીપજ્યું છે. જેમાં ગત તા. 10 જુલાઈના રોજ પોઝીટીવ જાહેર થયેલા મોરબીના વણકરવાસના 55 વર્ષીય પુરુષ અને આજે 27 જુલાઈના રોજ પોઝિટિવ જાહેર થયેલા વાંકાનેરના હસનપરના 54 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63