કોરોના કહેર વચ્ચે સ્કૂલ ફી મુદ્દે વાલીઓ અને ખાનગી શાળાઓ આમનેસામેને છે ત્યારે ગઇ કાલે ગુજરાત હાઇકોર્ટે વાલીઓને રાહત આપી હતી પરંતું સાંદે જ ખાનગી શાળા સંચાલકોનો મિટિંગ યોજાઇ હતી. જેમા તેમને સરકાર વિરૂદ્ધ બાયો ચઢાવી હતી અને નિર્ણય લીધો હતો કે, જો વાલીઓ દ્વારા ફી નહી આપવામા આવે તો વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પણ આપવામાં આવશે નહી.
ઓનલાઇન શિક્ષણ આપવા સરકારે સમિતિ બનાવી છે હવે રાજ્ય સરકાર બાળકોને પોતે ઓનલાઇન શિક્ષણ આપશે અને ખાનગી શાળાઓ સામે સરકાર હવે ઝુકશે નહીં.
હાલ કોરોના મહામારી વચ્ચે પણ વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શકતા નથી, ઓનલાઈન શિક્ષણ હોવા છતાં સ્કૂલ સંચાલકો મનફાવે તેમ ફી ઉઘરાવી રહ્યા છે તેનો વાલીઓએ વિરોધ કર્યો હતો.
ગઇ કાલે રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, રાજ્યમાં શાળાઓ ખુલે નહીં ત્યાં સુધી ફી નહીં ઉઘરાવવા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ઠરાવ કર્યો છે. આ સામે શાળા સંચાલકોને વાંધો છે. કારણ કે, ફી વિના શાળા સંચાલકો, શિક્ષકો, સ્ટાફની ફીથી માંડીને અન્ય ખર્ચા ઉઠાવી ન શકે. હવે સ્કૂલ ન ખુલે ત્યાં સુધી ફી ન ઉઘરાવવાની ન હોય તો વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું બંધ કરવાનું નક્કી કરાયું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63