ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી મોકૂફ ?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-07,

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે સપ્ટેમ્બરમાં યોજાનારી પેટાચૂંટણી હાલ મોકૂફ રાખવાનો ચૂંટણીપંચે નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યોજાએલી રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. આ કારણે આ બેઠકો ખાલી પડી હતી. નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. હાલ ગુજરાતમાં ચાલી રહેલી કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો હોવાનું મનાય છે. મળતા અહેવાલો અનુસાર કેન્દ્રીય ચંટણી પંચ આવતીકાલે ખાસ બેઠક યોજી આ અંગે નિર્ણય લેશે.

ભારતીય ચૂંટણી પંચે કેટલાક રાજ્યોમાં કોવિડ-19ની મહામારી અને પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 7 સપ્ટેમ્બર સુધી યોજનાર લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની પેટાચૂંટણીઓ મોકૂફ રાખ્યા છે. જેમ સ્થિતિ અનુકૂળ થશે તો ઈલેક્શન યોજાશે તેવી ચૂંટણીપંચે જાહેરાત કરી છે. જેના સંદર્ભે ગુજરાતની

વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી પણ મુલત્વી રહેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરંતું ગુજરાત

વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી સંદર્ભમાં મુલતવી રાખવાની કોઈ વાત સામે નથી આવી. રાજ્યના ચૂંટણી અધિકારીએ આ અંગે ખુલાસો કર્યો છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી એસ મુરલી ક્રિષ્નાના જણાવ્યા પ્રમાણે, કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા 7 સપ્ટેમ્બર સુધી યોજાનાર ચૂંટણીઓને મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે, ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીની ડ્યુ તારીખ 6 મહિના લેખે 14 સપ્ટેમ્બર થાય છે. તેથી ગુજરાતની પેટાચૂંટણી મુલતવી રાખવા સંદર્ભે અમારી પાસે કોઇ જ સૂચના આવી નથી. તેથી ગુજરાતની પેટાચૂંટણીઓ રાબેતા મુજબ યોજાશે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63