પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ થવાની છે. શિવભક્તો માટે આ મોટો પર્વ છે. શિવજીની આરાધના આ પાવન અવસર પર કરવાથી મોટું પૃણ્ય મળે છે. શિવભક્તો જેની આતુરતાપૂર્વક તેવા પવિત્ર શ્રાવણ માસમાં ચારેબાજુ બમ બમ બોલે અને જય જય શિવ શંકરના નારા ગુજે છે. આ મહિનામાં ભગવાન શિવ શંકરની પૂજા અર્ચના કરવાથી બાબા ભોલેનાથની કૃપા પ્રાપ્ત થતી હોય છે.
હિન્દુ ધર્મના ગ્રંથો મુજબ શ્રાવણ મહિનો શુભ ફળની પ્રાપ્તિ માટે સારો ગણાય છે. શિવજી ભોળા ભગવાન છે તે તમારી તમામ ભૂલચૂક માફ કરે છે પણ શાસ્ત્રો મુજબ ભોલે બાબાની પૂજા અર્ચના કરતી વખતે આ પાંચ વસ્તુઓનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જે એક સારા શિવભક્ત તરીકે તમને ખબર હોવી જ જોઇએ. ભગવાન શિવની પૂજા કરતા આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.
સૌથી પહેલા તો શિવલિંગ પર જળ ચઢાવતી વખતે ક્યારેય કાળા કપડાં પહેરવા જોઈએ નહીં. આમ કરવાનું ટાળો. અને ભાગ્યવંત રંગના કપડા જેમ કે લાલ, કેસરી, લીલા રંગના કપડા પહેરો. સાથે જ શિવલિંગ પર જળ ચઢાવતી વખતે જે જગ્યાએથી ચઢાવેલું પાણી બહાર આવી રહ્યું હોય ત્યારે ક્યારેય તે પાણીને ઓળંગીને જવું નહીં.
શિવલિંગ પર જળ ચઢાવતી વખતે તુલસીના પત્તા ન ચઢાવો. શાસ્ત્રોમાં શિવલિંગ માટે તુલસીના પત્તાને વર્જિત ગણવામાં આવ્યાં છે.
શિવલિંગ તથા શિવ પ્રતિમાની પૂજા કરતી વખતે ભૂલથી પણ તેમને સિંદૂર, તલ અને હળદર ચઢાવવા નહીં.
સાથે જ જળ ચડાવતી વખતે પહેલા નાગ દેવતાને જળ ચડાવો અને પછી શિવલિંગ પર. વધુમાં શિવલિંગ પર સીધી ધાર ન કરો. પહેલા તેની પર બિલપત્ર કે ફૂલ મૂકો પછી તે ફૂલ થકી પાણીની ધાર કરો. Disclaimer : આ તમામ વસ્તુઓ સર્વ સામાન્ય જાણકારી પર આધારીત છે. આમ કરતા પહેલા જાણકારોની સલાહ લેવી.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63