મોરબી શહેરમાં કોરોના કહેર યથાવત જોવા મળે છે સોમવારે કોરોનાના વધુ ૯ પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ ૧૧ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે વધુ નવ કેસો સાથે કુલ કેસનો આંક ૧૮૩ થવા પામ્યો છે
મોરબી શહેર અને તાલુકામાં આજે વધુ નવ કેસ નોંધાયા છે જેમાં મોરબીના ભવાની ચોકના ૫૬ વર્ષના પુરુષ, જેતપર મચ્છુ ગામના સોનીવાડી શેરીના ૬૬ વર્ષના મહિલા, મોરબી શિવા ડોક્ટર શેરીના રહેવાસી ૫૪ વર્ષના પુરુષ અને 61 વર્ષના મહિલા, મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા ૪૫ પુરુષ અને ૪૧ વર્ષના મહિલા, નવલખી રોડ પર રહેતા ૫૪ વર્ષના પુરુષ, વજેપર ૧૩ નં માં રહેતા ૩૭ વર્ષના પુરુષ અને અને બોરીચાવાસના ૭૦ વર્ષના મહિલાના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે
મોરબી જીલ્લામાં આજે વધુ ૧૧ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં સોમવારની સ્થિતિએ ૭૦ એક્ટીવ કેસ છે જયારે કુલ ૧૦૨ દર્દીઓ સાજા થયા છે જીલ્લામાં અત્યાર સુધીમાં ૧૧ દર્દીના મોત થયા છે અને કુલ કેસનો આંક ૧૮૩ પર પહોંચ્યો છે
સમાજ કલ્યાણ અધિકારી પણ કોરોના પોઝિટિવ
મોરબી : મોરબી જિલ્લા પંચાયત આવેલ જિલ્લા સમાજ કલ્યાણ કચેરીમાં ફરજ બજાવતા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે.વી.ભરખડાનો રાજકોટ ખાતે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે.વી.ભરખડા કલેકટર કચેરીમાં આવેલી નાયબ નિયામક અનુસૂચિત જાતિ ક્લાયણની કચેરીના પણ ચાર્જમાં છે.
આ અધિકારીને ગત તા.7 ના રોજ નવસારીથી બદલી કરીને મોરબીમાં નિમણુંક કરવામાં આવી હતી અને તા.7ના રોજ જ મોરબીમાં તેમણે ચાર્જ સંભાળી લીધો હતો. શુક્રવારે તેઓ મોરબી જિલ્લા પંચાયતની કચેરી અને કલેકટર કચેરીમાં માત્ર બે ત્રણ કલાક માટે આવ્યા હતા. ત્યારબાદ તેઓ આ કચેરીમાં આવ્યા નથી. ફરી તેઓ નવસારી ગયા હતા. એટલે મોરબીની કચેરીઓમાં તેઓ એક જ દિવસ આવ્યા હતા. તેમ છતાં તેમના સંપર્કમાં આવેલા 10 જેટલા કર્મચારીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ અંગે આરોગ્ય તંત્રએ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી હાલ રાજકોટમાં સારવાર હેઠળ છે અને રાજકોટથી તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63