સરકારે ચરેલ ગામના અનુસૂચિત જાતિના લોકોની માંગ સ્વીકારતા લોકોએ હિજરત ટાળી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-07,

ચરેલ ગામે અનુસૂચિત જાતિ ના લોકોનો હિજરત કરવા બાબત મા આજે રાજકોટ જિલ્લા કલેકટર સાહેબ ની ઓફિસમાં મિનિસ્ટર જયેશભાઇ રાદડીયા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા ની મધ્યસ્થીથી કલેકટર સાહેબ રાજકોટ એસપી સાહેબ રાજકોટ ડીડીઓ સાહેબ રાજકોટ સાથે મીટીંગ થયેલી હતી જે મીટિંગમાં ચરેલ ગામ ના અનુસૂચિત જાતિના લોકો દ્વારા કરેલી માંગણીઓમાં સરકાર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવતા અને રાજકોટ કલેકટર સાહેબ દ્વારા લેખિત ખાતરી આપતા અનુસૂચિત જાતિ ના ચરેલ ગામના લોકોએ હિજરત કરવાનું મુલતવી રાખેલ છે અને તે ગામના લોકોના તમામ પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે આ મિટિંગમાં અનુસૂચિત જાતિ સમાજ ના આગેવાનો માજી મંત્રી દિનેશભાઇ પરમાર દેવદાન ભાઈ મુછડીયા જયંતીભાઈ ચુડાસમા બગડા સાહેબ યોગેશભાઈ ભાષા વગેરે આગેવાનોએ સમાજના પ્રશ્ન બાબતે ચર્ચા વિચારણા કરી હતી અને ચરેલ ગામના અનુસૂચિત જાતિના લોકોની તમામ માગણીઓ સરકારે સ્વીકારી છે જેની લેખિતમાં ખાતરી આપી છે (રિપોર્ટ કૌશલ સોલંકી)

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63