મોરબીના રવાપર ગામના રહેવાસી હેમાંગભાઈ વજરીયા (ઉ.૪૭)નો ગત તા. ૯ ના રોજ કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો તે દર્દીને રાજકોટ સિવિલ ખસેડાયા હતા જ્યાં હેમાંગભાઈનું ગત રાત્રીના સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાની સત્તાવાર ખાત્રી આરોગ્ય વિભાગે કરી માહિતી આપી હતી. જોકે આ મૃત્યુ કોરોનાથી જ થયું છે કે અન્ય કારણોથી તે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આવ્યા બાદ જાહેર કરાશે, દર્દીનો રહેણાંક તેવા શુભ પેલેસ એપાર્ટમેન્ટને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. એપાર્ટમેન્ટના ૨૯ ઘરોના કુલ ૮૦ લોકોની વસ્તીને કન્ટેનમેન્ટમાં સમાવેશ કરાયો છે. તો પોઝીટીવ દર્દી સરદાર બાગ નજીકની એસબીઆઈ બેંકમાં ફરજ બજાવતા હોય જેથી બેંક અંદર અને બહારના વિસ્તારમાં પણ પાલિકા તંત્રએ સેનેટાઈઝ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબીમાં રામસેતુ, ઉમિયા તથા નીતિન પાર્ક સોસાયટી બફર ઝોનમાં સામેલ કરાઈ છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63