કોંગ્રેસના હાજી 2 ધારાસભ્યની વિકેટ પડી શકે છે : કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર જ વિશ્વાસ નથી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-06,

રાજ્યસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસનાં 8 ધારાસભ્યોનાં રાજીનામા પડી ગયા છે. હવે કોંગ્રેસની અંદર જ બંને ઉમેદવારો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે. તેવામાં કોંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર છે. રાજીનામાને કારણે કોંગ્રેસનાં ધારાસભ્યોનો આત્મવિશ્વાસ ડગી ગયો છે. અને ગુજરાત કોંગ્રેસને પોતાના જ બે ધારાસભ્યો પર વિશ્વાસ નથી. ચર્ચા છે કે આ ધારાસભ્યો પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. હાલમાં 3 ધારાસભ્યોનાં રાજીનામાં પડી જતાં ગુજરાત કોંગ્રેસ દ્વારા રિસોર્ટ પોલિટિક્સ શરૂ કરી દેવામાં આવ્યું છે. શક્તિસિંહ ગોહિલનાં પક્ષનાં ધારાસભ્યો રાજકોટમાં અને ભરતસિંહ સોલંકી પક્ષના ધારાસભ્યો માઉન્ટ આબુ પાસેના રિસોર્ટમાં રોકાયેલાં છે. તેવામાં રાજીનામાને લઈ ખુદ કોંગ્રેસનાં જ ધારાસભ્યોનો આત્મવિશ્વાસ ડગી ગયો છે. અને હજુ પણ બે ધારાસભ્યોનું કાંઈ નક્કી કહીં શકાય તેમ નથી.   કોંગ્રેસના જ ધારાસભ્યોને પોતાના 2 સાથીઓ ઉપર વિશ્વાસ નથી. નીલ સીટીમાં રોકાયેલાં એક ધારાસભ્ય ખડવાનો કોંગ્રેસને ભય છે. તો વાઈલ્ડ વિન્ડ્સમાં રોકાયેલાં એક ધારાસભ્ય ઉપર પણ કોંગ્રેસને સંપૂર્ણ વિશ્વાસ નથી. કોંગ્રેસના જ ધારાસભ્યો કહે છે કે હજુ કંઈ પાક્કું કહી શકાય નહીં. બંને બેઠક જીતાશે કે નહીં તે અંગે કોંગ્રેસના MLA અસમંજસમાં છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63