મોરબી: સજનપર ધુનડા ગામે ગત વર્ષ વીજળી પડતા આકસ્મિક મૃત્યુ પામનારના પરિવારને પીએમ રાહતફંડ માંથી 2 લાખનો ચેક અપાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-5, મોરબી 

મોરબી તાલુકાના ધુનડા ગામે ગત તા. 9-9-2019 ના રોજ આકાશી વીજળી પડતા રીટાબેન દિનેશભાઇ માંડલિયાનું મૃત્યુ થયેલ હતું, ત્યારબાદ પહેલા સીએમ રિલીફ ફંડ માંથી 4 લાખનો ચેક 12-9-2019 ના અર્પણ કરાયો ત્યારબાદ પીએમ રિલીફ ફંડમાંથી 2 લાખ સહાય મંજુર થતા આજે તેમના માતુશ્રી ચંપાબેન દિનેશભાઇને તાલુકા વિકાસ અધિકારી પી એ ગોહિલ અને સરપંચ પ્રવીણભાઈ રંગપરીયા દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઘુનડાના સરપંચ પ્રવીણભાઈ રંગપરીયા દ્વારા સમગ્ર ધુનડા ગામને ફરી એક વાર સેનિટાઇઝ કરવામાં આવ્યું છે. આમ તેમની કોરોના સામેની કામગીરીની ગ્રામજનોમાં ખુબ પ્રશંસા થઇ રહી છે. (તસ્વીર અનહેવાલઃ અનિલ રંગપરીયા દ્વારા)

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63