ગુજરાતના ઉદ્યોગોને ગેસ બિલમાં રાહત મળશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.5-5, કોરોનાની મહામારીમાં ‘લોકડાઉન’થી પરેશાન ઉદ્યોગકારોને ગુજરાત સરકારે આજે વધુ કેટલીક રાહતોની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ વિશેષત: ગુજરાત ગેસ આધારિત ઉદ્યોગોને ગેસ વપરાશના પેમેન્ટમાં અનેક રાહતો જાહેર કરી હતી. મુખ્યમંત્રીના અગ્રસચિવ અશ્ર્વિન કુમારે આજે પત્રકાર પરિષદમાં આ ઉપરાંત નવા ઉદ્યોગો માટે હળવા કરાયેલા લેબર લોઝ (શ્રમ – કાયદા)ની પણ પુન: છણાવટ કરી હતી.     મુખ્યત્વે સૌરાષ્ટ્રની સિરામિક ઈન્ડસ્ટ્રીને રાહતરૂપ એવી જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે જે ઉદ્યોગોના મે અને જૂનના ગેસના ગેસ વપરાશના બિલો ચડત હશે તેને 15-15 દિવસના 4 હપ્તામાં રકમ ભરપાઈ કરવાની રાહત આપવામાં આવશે. કુમારે વધુમાં જણાવ્યું હતું કે અન્ય એક નિર્ણય મુજબ 15 માર્ચ પછીના ગેસ બિલની ડ્યૂ-ડેઈટ 10 મીમે સુધી લંબાવી દેવામાં આવી છે. એટલું જ નહીં, સમયસર બિલ ન ચુકવનારા ઉદ્યોગ – ગૃહો પાસેથી લેઈટ પેમેન્ટ 18 ટકા વ્યાજ સહિત લેવાનું હતું તે વ્યાજ દર પણ 8 ટકા ઘટાડી માત્ર 10 ટકા રાખવાનો સરકારે નિર્ણય કર્યો હતો.નોંધનીય છે કે રાજ્યમાં ખાસ કરીને વિદેશથી મુડી રોકાણ કરનારા અને રોજગારીની નવી તકો ઉભી કરનારા ઉદ્યોગો માટે શ્રમ – કાયદામાં આપેલી છુટછાટોની પણ આજે અગ્રસચિવ અશ્ર્વિનકુમારે પુન: છણાવટ કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63