સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, પોરબંદર, ગિરસોમનાથમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.9-5, સૌરાષ્ટ્રમાં કોરોનાની આફત વચ્ચે કમોસમી વરસાદે કહેર મચાવ્યો હતો. તેવામાં આજે સૌરાષ્ટ્રની ધરા ધ્રૂજતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. લોકડાઉનનાં કારણે બપોરનાં સમયે ઘરમાં આરામ કરતાં લોકો ભૂકંપના આંચકાને કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા.   આજે બપોરે સૌરાષ્ટ્રમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0ની નોંધાઈ છે. અને ભકૂંપનું કેન્દ્રબિંદુ માંગરોળથી 44 કિમી દૂર જણાવવામાં આવી રહ્યું છે. બપોરનાં 3.36 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.   જો કે હજુ સુધી ભૂકંપને કારણે જાનહાનિનાં કોઈ સમાચાર નથી. પણ લોકડાઉનને કારણે બપોરનાં સમયમાં ઘરે આરામ ફરમાવતાં લોકોમાં ભૂકંપના કારણે ફફડાટ ફેલાઈ ગયો હતો. અને લોકો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં કોરોનાની આફત વચ્ચે કમોસમી વરસાદ અને હવે ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63