(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 29-4, કોરોના મહામારીને લઈને દેશમાં અલગ અલગ જગ્યાએ ફસાયેલા પ્રવાસી મજૂરો, પર્યટકો, વિદ્યાર્થીઓ અને શ્રદ્ધાળુઓને પોતાના ઘરે પરત ફરવાની મંજૂરી કેન્દ્ર સરકારે આપી દીધી છે.
રાજ્યોએ પ્રોટોકોલનું પાલન કરીને આવાગમન સુનિશ્ચિત કરવાનું રહેશે, પ્રવાસી માટે મોકલવામાં આવનાર બસને સૅનેટાઇઝ કરવાની રહેશે અને પ્રવાસીને પોતાના ઘરની આસપાસ જ ક્વોરેન્ટાઇન પિરિયડમાં રાખવામાં આવશે, જે લોકોને કોરોનના કોઈ લક્ષણ નથી તેવા લોકો ને જ પરવાનગી આપવામાં આવશે
આ માહિતી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના ઓફિશ્યિલ ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને આપવામાં આવી છે.