(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 12-4, દિલ્હીના NCR વિસ્તારમાં આજે સાંજે 5:50 વાગ્યે હળવો ભૂકંપનો ઝટકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.00 ની માપવામાં આવી છે. જેવો આંચકો અનુભવાયો તે સાથે જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે સદનસીબે રિક્ટર સ્કેલ પર તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ મોટી જાનહાની નથી થઇ, લોક ડાઉન સમયે જ ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. જાણકારોના કહેવા પ્રમાણે આ સ્કેલ ખુબ ઓછો હોવાથી લોકોએ ઘબરાવાની જરૂર નથી લોકો પોતાના ઘરમાં જઈ શકે છે.