(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.3-4, સરધાર, કોરોના મહામારીના આ સમયે ઘણા લોકોને બે ટંક ભોજનની વ્યવસ્થા પણ થઇ શકવી મુશ્કેલ થતી હશે એવા કપરા સંજોગોમાં સમયસર ભોજન મળી રહે તે માટે રામદૂત યુવા ગ્રુપ સરધાર તથા SPG રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ ભાવેશ કિયાડા અને SPG 108 રાજકોટ જિલ્લા પ્રમુખ ભાવેશ ત્રાપસીયા દ્વારા દરરોજ 500 થી 1000 લોકો માટે અલગ અલગ પ્રકારની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં મુશ્કેલીમાં હોય તેવા ટ્રક ડ્રાઈવર ભાઈઓ તથા સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને હરિ ઇન્ડસ્ટ્રીયલ ઝોન માં રહેતા પર પ્રાંતીય મજુર લોકોને ભોજન કારવાઈ માનવતાની મહેક પ્રસરી રહી છે. (રિપોર્ટ – વિપુલ એમ. પ્રજાપતિ, સરધાર)
નોંધ: હાલની કપરી સ્થિતિમાં અનેક સેવાભાવી લોકો સહાયરૂપ થઇ રહ્યા છે તેવા સમયે મદદ રૂપ થતા લોકોની નોંધ લેવાથી માનવતાના કાર્યની સુવાસ સમાજમાં પ્રસરે ત્યારે અન્ય લોકો પણ પ્રેરિત થાય છે અને સેવાકીય પ્રવુત્તિને વેગ મળે છે પરંતુ આ શુભ હેતુથી લેવામાં આવતા સમાચારથી ગરીબ લાભાર્થીઓની ગરિમાને ઠેસ ના પહોંચે તે માટે અમે લાભાર્થીઓની ઓળખ જાહેર થાય તેવી તસ્વીર નથી લેતા અથવાતો બ્લર કરી દેવામાં આવે છે.