(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 2-4, સમગ્ર દેશ વૈશ્વિક મહામારી સામે જંગ લડી રહ્યો છે. ત્યારે ફ્રન્ટ લાઈન પર આ યુદ્ધ લડી રહ્યા હોય તો તે ડોક્ટર અને પોલીસ જવાનો છે.
પોલીસ આપણી રક્ષા માટે જાનના જોખમે પણ રાત દિવસ ખાડે પગે રહી પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે લોકડાઉનના સમયે સંકટની સ્થિતિમાં હોય એવા પરિવારોની મદદ માટે આગળ આવી અમદાવાદના ચાંદખેડા વિસ્તારના ગ્રેનેસના એરિયા મેનેજર તથા એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી દીપાલીબેન કંસારા તથા તેમના સાથી સહાયકો દ્વારા શ્રમજીવી પરિવારોને તથા દિવ્યાંગોને તેઓના ઘરે જઈ સમયસર સવાર અને સાંજ બંને સમય ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતું , સાથે ચાંદખેડા વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને કોરોના સામે રક્ષણ મળી રહે તેવા શુભ હેતુથી ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આમ કંસારા સમાજનું, પોલીસ બેડાનું ગૌરવ વધારનાર મહિલા PSI દીપાલીબેન કંસારા તથા તેમના સહાયકોના આ માનવતાલક્ષી કાર્યોને દિવ્યક્રાંતિ મીડિયા બિરદાવે છે. સાથે સાથે દેશભરના લોકોના સહયોગથી દેશ કોરોના મહામારી સામેની જંગમાં વિજયી બને તેવી કામના કરે છે. (અહેવાલ : જયદેવ બુધ્ધભટ્ટી, મોરબી)