(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 30-3, કોરોના સામે ચાલી રહેલા યુદ્ધ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા PM-CARE રાહત ફંડમાં દાન કરવાની અપીલ કરી હતી બાદમાં આ રાહત ફંડમાં દેશભરના લોકો યથાયોગ્ય દાનની વર્ષાં થઇ રહી છે ત્યારે સરધાર સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી ભગવાન સ્વામિનારાયણના શિક્ષાપત્રીના 119 માં સ્લોકમાં કરેલી આજ્ઞા મુજબ ” કષ્ટને આપનારી દેવ સંબંધી આપત્તિ આવી પડે, તથા મનુષ્ય સંબંધી કોઈ આપત્તિ આવી પડે, તથા રોગાદિક આપત્તિ આવી પડે ત્યારે, એ આપત્તિમાં પોતાની અને બીજાની જેમ રક્ષા થાય તેમ વર્તવું” આ આજ્ઞા અનુસાર જ અત્યારે સરકારના તાકીદના પગલાં માટે તેને અનુસરવા તીર્થધામ શ્રી સ્વામિનાયારણ મંદિર ટ્રસ્ટ-સરધારના પ્રણેતા પૂ. સદ્ ગુરુ સ્વામી શ્રી નિત્યાનંદસ્વરૂપજીની આજ્ઞાથી સરકારને સેવા ભાવથી કોરોના વાઇરસ રાહત ફંડ માં 11,00,000 લાખ અર્પણ કર્યા છે. (રિપોર્ટ : વિપુલ એમ. પ્રજાપતિ,સરધાર)