ગરીબો માટે રાહત : કેન્દ્ર સરકાર 1.70 લાખ કરોડની મદદ કરશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. કોરોના વાયરસના લીધે દેશમાં 21 દિવસનું લોકડાઉન દ્વારા યુદ્ધ ચાલી રહ્યું છે. આ લોકડાઉનના લીધે દેશના અર્થતંત્રને મોટી નુકસાન જવાની આશંકા વ્યકત કરાઇ છે. તેની વચ્ચે સરકારની તરફથી નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોટી રાહત આપી. તેમણે કહ્યું કે ગરીબ કલ્યાણ યોજનાની અંતર્ગત ગરીબોને 1.70 લાખ કરોડ રૂપિયાની મદદ કરાશે.   તેમણે કોરોના સામે લડાઇમાં મદદ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના માટે 50 લાખ રૂપિયાના મેડિકલ વીમાની જાહેરાત કરી છે. તેમાં આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેનાથી 20 લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે. કોરોના કમાન્ડોઝ આ જંગને લડી રહ્યા છે. તેમને 15 લાખનો લાઇફ ઇન્શયોરન્સ અપાશે.   સીતારમણે કરી આ મહત્વની જાહેરાતો -પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં ભોજન અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આપવામાં આવશે -આ પેકેજ 1 લાખ 70 હજાર કરોડનું છે – પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં 80 કરોડ ગરીબ લોકોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. કોઇ ગરીબ ભૂખ્યુ ન રહે તેથી દરેક વ્યક્તિને 5 કિલો ઘઉં અથવા ચોખા આગામી ત્રણ મહિના માટે આપવામાં આવશે. તે સિવાય તેમને અગાઉ જે પાંચ કિલોનો જથ્થો મળે છે તે પણ મળશે. – 1 કિલો પસંદગીની દાળ પરિવાર દીઠ આગામી ત્રણ મહિના માટે અપાશે

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા વૈશ્વિક યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો અને જો આપનું પોતાનું કોઈ વૉટ્સઍપ ગ્રુપ હોય તો આ નંબર: 9723162036 આપના ગ્રુપમાં એડ કરો

GROUP LINK-02 DIVYAKRANTI NEWS B59

GROUP LINK-03 DIVYAKRANTI NEWS B60

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70