(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 25-3, કોરોના વાયરસ (Coronavirus)ના ખતરાને જોતાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દેશમાં લૉકડાઉન (Lock Down)ની જાહેરાત કરી છે. આ દરમિયાન જરૂરી અને ખાવાનો સામાનના સપ્લાય ચાલુ રહે, કોઈને પણ કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેના માટે ગૃહ મંત્રાલય (Home Ministry) એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ચીફ સેક્રેટરી અને ડીજીપીને એક પત્ર લખ્યો છે. સામાનનો સપ્લાય ચાલુ રહે તેના માટે તાત્કાલિક એક હેલ્પલાઇન નંબર જાહેર કરવાની વાત કહેવામાં આવી છે. તેનાથી કોઈ પણ નાગરિકને કોઈ મુશ્કેલી હોય તો તેઓ ઘરે બેઠા ફોન કરી શકે છે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર પત્રનું માનીએ તો તમામ રાજ્યોને કહેવામાં આવ્યું છે કે તેઓ વહેલી તકે એક હેલ્પલાઇન નંબર જાહેર કરે, જેથી જરૂરિયાતવાળા લોકો ફોન પર તેની જાણકારી આપી શકે. લૉકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે અને લોકો પોતાના ઘરોમાં જ રહે, તેના માટે તેમની મુશ્કેલીઓને તાત્કાલિક દૂર કરવામાં આવે. બજાર અને દુકાનો પર ભીડ ન એકત્ર થાય તે માટે ઘરના દરવાજા સુધી સામાન પહોંચાડવાની સુવિધા આપવામાં આવે.