(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 24-3, આજે રાત્રે 8 વાગ્યે વડા પ્રધાન મોદીએ કોરોના વાયરસને અટકાવવા માટે 21 દિવસનાં લોકડાઉનની જાહેરાત કરી હતી. પીએમ મોદીની જાહેરાત બાદ જ ગુજરાતનાં લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અનેક વિસ્તારોમાં લોકોએ કરિયાણું અને અન્ય વસ્તુઓ લેવા માટે પડાપડી કરી દીધી હતી. દિવ્યક્રાંતિ મીડિયા તમામને ઘરે રહેવા માટે અપીલ કરે છે. જીવન જરૂરિયાત વસ્તુઓની ગુજરાતમાં કોઈ અછત નહીં સર્જાય. જો કે સીએમ રૂપાણીએ ગુજરાતની જનતાને અપીલ કરી છે કે, બિનજરૂરી પડાપડી ન કરતાં. ગુજરાતમાં ભયના મારે લોકોએ પડાપડી કરી દેતાં નાયબ મુખ્યમંત્રીએ પણ લોકોને અપીલ કરી છે. નીતિન પટેલે લોકોને પડાપડી ન કરવા માટે વિનંતી કરી છે. જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મળશે તેવું આશ્વાસન પણ નીતિન પટેલે આપ્યું હતું. તમામ ખાદ્યવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગરીબો માટે બનતું બધું કરીશું. ગુજરાતમાં કોઈપણ જાતની તંગી નથી તેવું પણ નીતિન પટેલે કહ્યું હતું.