(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 24-3, ગુજરાતમાં સોમવારે પોઝિટિવ કેસોની સંખ્યા 29 હતી. સુરત અને ગાંધીનગર ખાતેના 4 વ્યક્તિઓના કોરોના વાયરસના ટેસ્ટ પોઝિટિવ (Coronavirus Positive Case) સામે આવતા હવે કોરોના વાયરસના પોઝિટિવ (Coronavirus) કેસોની સંખ્યા 33 પર પહોંચી ગઈ છે. સોમવાર સુધી આ મામલે ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિ (Dr Jayanti Ravi)એ પ્રેસ કૉન્ફરન્સ કરીને માહિતી આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ સંદર્ભે 10 લાખ લોકોનો સર્વે (Coronavirus Survey) કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 104 હેલ્પલાઇન નંબર પર જે જે લોકો ફોનકોલ કરીને માહિતી મેળવે છે અથવા સમસ્યા રજૂ કરે છે તેમને કોલબેક કરીને તેમની સમસ્યાનું 100 ટકા સમાધાન લાવવામાં આવી રહ્યું છે.10 લાખ લોકોનો સર્વે કરાયો છે. કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપતા આરોગ્ય સચિવે જયંતિ રવિએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રથમ એવું રાજ્ય છે જેણે વિદેશથી આવેલા 27 હજાર જેટેલા લોકોનો સ્ક્રિનિંગ કર્યું છે. આ ઉપરાંત ડોમેસ્ટિક એરપોર્ટ પર એક શહેરમાંથી બીજા શહેરમાં આવેલા લોકો કે રોડથી બીજા શહેરમાં આવેલા લોકોનું સ્ક્રિનિંગ કર્યું છે. એરપોર્ટ પરથી આવેલા લોકોની માહિતી ભારત સરકાર પાસેથી મેળવીને તેમનો ડોર ટુ ડોર સર્વે કર્યો છે. અત્યાર સુધી 10 લાખ લોકોનો સર્વે કર્યો છે. સર્વે કરાયેલા લોકોમાં વિદેશથી આવેલા કે એરપોર્ટ પરથી આવેલા લોકોના સંપર્કમાં આવેલા લોકો કે તેમની આસપાસ રહેતા લોકોનો સમાવેશ થાય છે.