(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 24-3, કોરોના વાયરસના કહેર વધારે તબાહી ન મચાવે તે માટે સરકાર દ્વારા ગુજરાતમાં લોકડાઉન જાહેર કરાયું છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ ગુજરાત લોકડાઉનને 90 ટકા સુધી સફળ ગણાવ્યું હતું. તેમ છતાં અમુક લોકો બહાર ફરતાં જોવા મળ્યા હતા. જો કે પોલીસે તેઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું. તો હવે લોકડાઉનનો વધારે કડક અમલ કરાવવા માટે પાંચ જિલ્લાઓમાં RAFની ટીમની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરતમાં રેપિડ એક્શન ફોર્સની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ જિલ્લાઓ કોરોનાગ્રસ્ત છે. અને અહીં એક બાદ એક કોરોના પોઝિટિવ કેસોનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અને પહેલાં કોરોના વિદેશથી પરત ફરેલાં લોકોને જ હતો પણ હાલ હવે સ્થાનિક સ્તરે પર કોરોના ફેલાવવાની શરૂઆત થતાં જ પોલીસે લોકડાઉનનો કડક અમલ કરાવવા RAFની ટુકડી ઉતારી છે.