(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 21-3, પ્રધાનમંત્રીના જનતા કર્ફ્યુના આહવાન બાદ આજથી જ સરધારની સહિત અનેક વિસ્તારોમાં લોકોએ સ્વયંભૂ કર્ફ્યુ પડ્યો હોય તેમ તમામ મુખ્ય માર્ગો, બજારો બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં કર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આવતી કાલે ભારતભરમાંથી લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ જનતા કર્ફ્યુમાં સ્વૈચ્છિક રીતે જોડાશે, કોઈ મહામારીના કારણે સમગ્ર દેશની જનતા સ્વયંભૂ કર્ફ્યુમાં જોડાય તે ઇતિહાસમાં શાયદ પહેલી વાર બનશે। (તસ્વીર: વિપુલ એમ. પ્રજાપતિ)