મોરબી: કંસારા શેરીમાં ગટર ઉભરાતા લોકો ત્રાહિમામ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-3, મોરબીના કંસારા શેરીમાં લાંબા સમયથી તંત્રની ધોર બેદરકારીના કારણે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ત્યારે હમણાંથી આ વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યા વકરી છે તેથી ભૂગર્ભ ગટરની બેસુમાર ગંદકી ફેલાતા સ્થાનિક લોકોના આરોગ્ય જોખમ સર્જાયું છે. ભૂગર્ભ ગટર, રોડ, પાણી, સફાઈ સહિતની સમસ્યાઓના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ભૂગર્ભ ગટર ઉભરાતા બેસુમાર ગંદકી ફેલાય રહી છે. ગટર ઉભરાતા શેરીઓમાં ગંદુ પાણી નદીના વહેણની માફક વહે છે. જેના કારણે મેઈન રોડ ઉપર અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે અને ગટરની ગંદકીના કારણે સ્થાનિકોના આરોગ્ય ઉપર જોખમ ઉભું થયું હોય વહેલીતકે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે.