મોરબી: આમ આદમી પાર્ટી દ્વારા સો ઓરડી વિસ્તાની અનેક સમસ્યાઓના નિરાકરણ માટે આવેદન અપાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 12-3, આમ આદમી પાર્ટી મોરબી દ્વારા હાલ મોરબી શહેરમાં દર શનિવારે રાત્રીસભાઓ કરી પ્રજાની સમસ્યાઓ સાંભળી રહી છે ત્યારે તાજેતરમાં મોરબી-૨માં આવેલ સો ઓરડી વિસ્તાર ખાતે રાત્રી સભા કરવામાં આવી હતી આગેવાનો સાથે ચર્ચા કરતા સોઓરડી વિસ્તારના લોકોએ નીચે મુજબ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી (1) ડોર ટુ ડોર રોજ કચરો લેવા રોજ કોઈ આવતું નથી (2) મચ્છર મારવા દવાનો છટકાવ કરવા પણ કોઈ આવતું નથી (3) ભૂગર્ભ નિકાલની ભારે સમસ્યા છે (4) મેઈન રોડ પર અને શેરીઓની બંધ સ્ટ્રીટ લાઈટ ફરિયાદ કરવા છતાં રીપેર થતી નથી (5) મેઇન રોડ અડધો સફાઇ કરવામાં આવે છે. શેરીઓ સફાઇ થતી નથી (6) મોટા ભાગની શેરીઓમાં રોડ નથી (7) પીવાનું પાણી સમયસર આવતું નથી. ક્યારેક રાત્રે ૧૧ વાગ્યા પછી આવે છે (8) આવાસ યોજનાના ફોર્મ વર્ષોથી ભર્યા છે, મકાન ફાળવણી થતી નથી. આથી, આમ ઉપરોક્ત સમસ્યાઓ આમ આદમી પાર્ટીના ધ્યાને આવતા આ વિસ્તારની તમામ સમસ્યાઓ અંગે પાલિકાને રજુઆત કરીને વહેલી તકે ઘટતી કાર્યવાહી કરવાની માંગ સાથે મોરબી નગર પાલિકાને આવેદન આપ્યું હતું