મોરબી: શહીદ ભગતસિંહને ભારતરત્ન આપવાની માંગ સાથે સાયકલ યાત્રા નીકળી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15, મોરબી, શહીદ ભગતસિંહને ભારતરત્ન આપવાની માંગ સાથે સોમનાથથી દિલ્હી સુધી નીકળેલી સાયકલ યાત્રાનું આજે ૧૫ તારીખે મોરબીમાં આગમન થયું છે. ત્યારે સાયકલ વીરોનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું હતું।

આ સાયકલયાત્રામાં મોરબીના ઘણા યુવાનો સાયકલ વીરોનો ઉત્સાહ વધારવા માટે તેની સાથે જોડાય છે અને શહેરના માર્ગો ઉપર તેની સાથે રહ્યા હતા. આ સાયકલયાત્રા ભક્તિનગર સર્કલથી શનાળા રોડ, રામ ચોક, સાવસર પ્લોટ, સરદાર રોડ, નહેરુગેટ, ગ્રીન ચોક, દરબાર ગઢ, મહેન્દ્રા ડ્રાઈવ રોડ, પાડા પુલ,એલ.ઈ કોલેજ રોડ, સૌ ઓરડી, નેશનલ હાઈવે, ત્રાજપર ચાર રસ્તા, મહારાણા પ્રતાપ સર્કલ, મયુર પુલ, ગેસ્ટ હાઉસ રોડ, નહેરુગેટ, ગાંધી ચોક, નરસંગ ટેકરી, સ્વચ્છતા રોડ થઈને સરદાર પટેલ સ્ટેચ્યુ નવા બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ થઇ હતી ઉપરાંત રાતે લોક ડાયરો પણ રાખવામાં આવ્યો છે.